SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૭૧ પ્રમાણ ઘોષિત કરવું પડે. અને આવું કોઈ ત્રીજું પ્રમેય તો છે જ નહિ. પ્રમેય વિના તો પ્રમાણમાં પ્રમાણતા જ આવી શકતી નથી. ‘જેના દ્વારા પ્રમયને જાણવામાં આવે છે તે પ્રમાણ છે’ આ ‘પ્રમાણ' શબ્દની વ્યુત્પત્તિ પણ પ્રમાણના પ્રમેય સાથેના અવિનાભાવસંબંધને દર્શાવે છે. તેથી જેના પ્રમેયનું અસ્તિત્વ હોય તે જ પ્રમાણ બની શકે છે. ‘જે જ્ઞાનનું પ્રમેય અસ્તિત્વ ધરાવતું નથી તે પ્રમાણ જ નથી, જેમ કે સ્વચ્છ આકાશમાં થનારું કેશાકાર તથા મચ્છરાકારનું જ્ઞાન. પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત આગમ આદિ પ્રમાણોના વિષયો પણ અસ્તિત્વમાં નથી. [તેથી તેઓ પ્રમાણ ન હોઈ શકે.] આ હેતુ કા૨ણાનુપલબ્ધિરૂપ છે. પ્રમેય પદાર્થ ક્યાંક સાક્ષાત્ અને ક્યાંક પરંપરાથી પ્રમાણનું કારણ બને જ છે. કહ્યું પણ છે કે ‘જેનો જેની સર અન્વય અને વ્યતિરેક નથી તે તેનું કારણ હોઈ શકે નહિ તથા જે પદાર્થ જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય પણ હોઈ શકે નહિ.' આ રીતે પ્રમાણમાં કારણભૂત પ્રમેયની અનુપલબ્ધિ હોવાથી શબ્દ (આગમ) આદિમાં પ્રમાણતાનો નિષેધ કારણાનુપલબ્ધિરૂપ હેતુથી કરવામાં આવ્યો છે. 78. प्रत्यक्षपरोक्षातिरिक्तं प्रमेयान्तरं नास्तीति चाध्यक्षेणैव प्रतिपाद्यते । अध्यक्षं हि पुरः स्थितार्थसामर्थ्यादुपजायमानं तद्गतात्मनियतप्रतिभासावभासादेव तस्यार्थस्य प्रत्यक्षव्यवहारकारणं भवति, तदन्यार्थात्मतां च तस्य व्यवच्छिन्दानमन्यत्परोक्षमर्थजातं सकलं राश्यन्तरत्वेन व्यवस्थापयत्तृतीयप्रकाराभावं च साधयति, अध्यक्षेणाप्रतीयमानस्य सकलस्यार्थजातस्यान्यत्वेन परोक्षतया व्यवस्थापनात् । अन्यथा तस्य तदन्यार्थरूपताऽव्यवच्छेदे स्वीयरूपतयापि परिच्छेदो न भवेदिति न किंचित्प्रत्यक्षेणावगतं भवेत् । प्रतिनियतस्वरूपता हि भावानां प्रमाणतो व्यवस्थिता । अन्यथा सर्वस्य सर्वथोपलम्भादिप्रसङ्गतः प्रतिनियतव्यवहारोच्छेदप्रसक्तिर्भवेत् । प्रतिनियतस्वरूपता चेन्न प्रत्यक्षावगता किमन्यद्रूपं तेन तस्यावगतमिति पदार्थस्वरूपावभासिनाध्यक्षेण प्रमेयान्तराभावः प्रतिपादित एव । 78. ‘પ્રત્યક્ષ અને પરોક્ષથી અતિરિક્ત કોઈ ત્રીજું પ્રમેય નથી’ એનું પ્રતિપાદન યા સિદ્ધિ પ્રત્યક્ષ પોતે જ કરે છે. પ્રત્યક્ષ પોતાની સામે વિદ્યમાન પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તે પદાર્થના આકારનું હોવાના કારણે તેનો પ્રતિભાસ તે પદાર્થના સ્વરૂપથી નિયત થાય છે એટલે તે પદાર્થમાં ‘પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહાર થાય છે અર્થાત્ તે પદાર્થ પ્રત્યક્ષ કહેવાય છે. ઉદાહરણાર્થ, ઘટ પદાર્થથી ઉત્પન્ન થનારું પ્રત્યક્ષ ઘટના આકારનું હોવાના કારણે ‘આ ઘટ છે’ એ રૂપે ઘટ પદાર્થના સ્વરૂપમાં જ સીમાબદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy