SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ તર્કરહસ્યદીપિકા અવિનાભાવી સાધનથી નિયતધર્મીમાં થનારા સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે એ અનુમાનનું પરિષ્કૃત લક્ષણ છે. ઉપર્યુક્ત વિવેચનના આધારે આપણે આ નિશ્ચિત અનુમાનો કરી શકીએ છીએ – (આગામ આદિ અનુમાનમાં અન્તભૂત છે, કેમ કે તેઓ અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારાં પ્રમાણો છે), જે અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારા પ્રમાણો છે તે અનુમાનમાં અન્તભૂત છે, જેમ કે લિંગદર્શનથી થનારું અનુમાનરૂપ વિકલ્પજ્ઞાન, સાંખ્ય આદિ દ્વારા સ્વીકૃત શબ્દ આદિ પણ અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારાં પ્રમાણો છે, (તેથી અનુમાનમાં જ તેમનો અન્તર્ભાવ થાય છે) – આ સ્વભાવહેતુ છે. “(આગમ આદિ અનુમાનથી અતિરિક્ત નથી, કેમ કે તેમનો અનુમાનમાં અન્તર્ભાવ થઈ જાય છે), જેનો જેમાં અન્તર્ભાવ થાય છે તેનાથી અતિરિક્ત પ્રમાણ ન ગણાય, જેમ કે પ્રત્યક્ષમાં અન્તભૂત ચાક્ષુષપ્રત્યક્ષ, પ્રત્યક્ષથી ભિન્ન સમસ્ત શબ્દ આદિ પ્રમાણો પણ અનુમાનમાં જ અન્તભૂત છે, તેથી તે બધાં અનુમાનથી ભિન્ન પ્રમાણો નથી.' આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ છે. અન્તર્ભાવ તથા બહિર્ભાવનો પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ છે અર્થાત્ જ્યાં અન્તર્ભાવ હશે ત્યાં બહિર્ભાવ નહિ હોય અને જ્યાં બહિર્ભાવ હશે ત્યાં અન્તર્ભાવ નહિ હોય. અહીં બહિર્ભાવનો જે વિરુદ્ધ સ્વભાવ અન્તર્ભાવ ઉપલબ્ધ છે તે પોતાના વિરોધી બહિર્ષાવનો પ્રતિષેધ સિદ્ધ કરે છે. તેથી આ હેતુ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિરૂપ છે. 17. માદ પર – મવતુ પરોક્ષવિષય પ્રમાયાનુમતે નમવઃ, अर्थान्तरविषयस्य च शब्दादेस्तस्यान्तर्भावो न युक्त इति चेत्, न; प्रत्यक्षपरोक्षाभ्यामन्यस्य प्रमेयस्यार्थस्याभावात्, प्रमेयरहितस्य च प्रमाणस्य प्रामाण्यासम्भवात्, प्रमीयतेऽनेनार्थ इति प्रमाणमिति व्युत्पत्त्या सप्रमेयस्यैव तस्य प्रमाणत्वव्यवस्थितेः । तथाहि- यदविद्यमानप्रमेयं न तत् प्रमाणं यथा केशोण्डुकादिज्ञानम्, अविद्यमानप्रमेयं च प्रमाणद्वयातिरिक्तविषयतयाभ्युपगम्यमानं प्रमाणान्तरमिति कारणानुपलब्धिः, प्रमेयस्य साक्षात्पारम्पर्येण वा प्रमाणं प्रति कारणत्वात् । तदुक्तम्- "नाननुकृतान्वयव्यतिरेकं कारणम्, નારિ વિષયઃ” રૂતિ 17. શંકા– એ તો ઉચિત છે કે પરોક્ષને વિષય કરનાર પ્રમાણનો અનુમાનમાં અન્તર્ભાવ થાય, પરંતુ આગમ આદિ પ્રમાણ તો જુદા જ પ્રકારના પદાર્થોને વિષય કરે છે, તેથી તેમનો અનુમાનમાં અન્તર્ભાવ કરવો કોઈ પણ રીતે ઉચિત નથી. બૌદ્ધ સમાધાન– આ શંકા તો જ યોગ્ય ગણાય જો પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે સિવાય બીજું કોઈ ત્રીજું પ્રમેય હોય કે જેને વિષય કરવા માટે આગમ આદિને સ્વતન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy