SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૬૯ लक्षणतया विरोधात्। 76. વિષય પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રકારના હોવાથી એ બે પ્રકારના વિષયોને જાણનારાં સમ્યજ્ઞાનો (પ્રમાણો) પણ બે જ પ્રકારનાં છે. બૌદ્ધ દર્શનમાં ક્ષણિક પરમાણુરૂપ વિશેષ (સ્વલક્ષણ) તો પ્રત્યક્ષનો વિષય છે તથા બુદ્ધિપ્રતિબિંબિત અન્યાપોહાત્મક સામાન્ય અનુમાનનો વિષય છે. આમ વિષયની દ્વિવિધતા ઉપરથી પ્રમાણની વિધતાનું અનુમાન કરવામાં આવે છે. પ્રત્યક્ષ સામાન્યને તથા અનુમાન સ્વલક્ષણને વિષય કરી શકતાં નથી. પ્રત્યક્ષના વિષયભૂત પ્રત્યક્ષ વિષયથી અન્ય બધા વિષયો પરોક્ષ છે. આમ વિષયોના બે પ્રકાર હોવાથી તેમનાં ગ્રાહક સમ્યજ્ઞાન (પ્રમાણ) પણ બે પ્રકારનાં છે. તે ન તો એક પ્રકારનાં છે કે ન તો ત્રણ આદિ પ્રકારનાં છે. જેટલાં પણ સમ્યજ્ઞાનો પરોક્ષ અર્થને વિષય કરે છે તે બધાં અનુમાનમાં અન્તભૂત છે, કેમ કે તે બધાં પોતાના સાધ્યભૂત અર્થ સાથે અવિનાભાવસંબંધ ધરાવનારાં તથા નિયતધર્મીઓમાં રહેનારાં લિંગો દ્વારા પરોક્ષ અર્થોનું સામાન્યરૂપે અવિશદજ્ઞાન કરાવે છે. તેથી પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણો છે. તે આ પ્રમાણે – પરોક્ષ અર્થ પ્રમાણ દ્વારા સાક્ષાત્ અર્થાત્ વિશેષરૂપે તો પ્રતીત થતો જ નથી. જો તે સાક્ષાત પ્રતીત થવા લાગે તો તે પરોક્ષ ન રહે પણ પ્રત્યક્ષની કોટિમાં આવી જાય. અનુમાન એક વિકલ્પજ્ઞાન છે. જે વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પકથી ઉત્પન્ન ન થઈને માત્ર વાસનાથી સ્વતન્તભાવે ઉત્પન્ન થાય છે તે વિકલ્પજ્ઞાન પ્રમાણ નથી. ઉદાહરણાર્થ, મનમાં હું રાજા છું' એવું વિકલ્પજ્ઞાન કોઈ રાજ્ય જેવા પદાર્થનો સાક્ષાત્કાર કરનાર પ્રત્યક્ષથી ઉત્પન્ન ન થઈને પોતાની મેળે જ વાસનાવિશેષ દ્વારા મનમાં ઉદ્દભવ પામે છે. તેથી તે પ્રમાણ નથી. આમ જે વિકલ્પનો પરોક્ષ અર્થ સાથે અવિનાભાવસંબંધ નથી તે વિકલ્પ નિયમથી અવિસંવાદી નથી જ હોતો. જે લિંગભૂત અર્થ પોતાના સાધ્ય અર્થના અભાવમાં પણ હોય તેના દ્વારા તેના સાધ્ય અર્થનું નિયમથી જ્ઞાન થઈ શકે જ નહિ. અસંબદ્ધ લિંગ દ્વારા અનુમાન માનીએ તો ગમે તે લિંગ દ્વારા ગમે તે સાધ્યનું અનુમાન થવું જોઈએ. તેવી જ રીતે નિયત ધર્મી સાથે સંબંધ ન ધરાવનાર હેતુથી જો સાધ્યનું અનુમાન થતું હોય તો રસોઈઘરમાં ઉપલબ્ધ ધૂમ દ્વારા હિમાલય પર્વતમાં કે સુમેરુ પર્વતમાં પણ અગ્નિનું અનુમાન થવું જોઈએ કેમ કે ધર્મીથી અસંબદ્ધ હેતુની કોઈ ખાસ ધર્મી સાથે પ્રયાસત્તિ (નિકટતા) કે કોઈ અવિવણિત ધર્મીથી વિપ્રકર્ષ (દૂર હોવાપણું) કહી શકાતાં નથી. તે તો બધા ધર્મીઓથી અસંબદ્ધ છે એટલે કોઈપણ ધર્મીમાં તેણે સાધ્યનું અનુમાન કરાવવું જોઈએ. તેથી પોતાના સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર તથા નિયતધર્મીમાં વિદ્યમાન લિંગથી થનારાં જેટલાં પણ સમ્યક અર્થાત અવિસંવાદી વિકલ્પજ્ઞાનો છે તે બધાં જ અનુમાન પ્રમાણમાં અન્તભૂત છે, કેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy