SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૫૩ જો નિત્ય પદાર્થમાં પ્રથમ કાર્ય ઉત્પન્ન કરતી વખતે દ્વિતીય આદિ સમયોમાં થનારા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હોય અને દ્વિતીય આદિ સમયમાં જયારે તે કાર્યોને ઉત્પન્ન થવાનું છે ત્યારે તે સામર્થ્ય આવી જતું હોય તો પછી તે નિત્ય પદાર્થમાં નિત્યતા ક્યાં રહી?, કેમ કે નિત્ય પદાર્થમાં જે સામર્થ્યપ્રથમ ક્ષણમાં ન હતું તે જ સામર્થ્ય દ્વિતીય આદિ ક્ષણોમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈ પણ અવિદ્યમાનસ્વભાવનું ઉત્પન્ન થવું એ જ અનિત્યતા છે. જો નિત્ય પદાર્થ પોતાનાં બધાં જ કાર્યોને યુગપત એક જ ક્ષણમાં અર્થાત્ પ્રથમ ક્ષણમાં જ એક સાથે ઉત્પન્ન કરે છે એ વિકલ્પ સ્વીકારવામાં આવે તો એનો અર્થ એ થાય કે દ્વિતીય આદિ અનન્ત ક્ષણોમાં થનારાં બધાં જ કાર્યો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જશે અને પરિણામે તે નિત્ય પદાર્થ દ્વિતીય આદિ ક્ષણોમાં શું કાર્ય કરશે? કેમ કે તેના વડે ઉત્પાદ્ય સઘળાં કાર્યો તો પહેલી જ ક્ષણમાં ઉત્પન્ન થઈ ગયાં છે. આમ જે નિત્ય પદાર્થ પ્રથમ સમયમાં કાર્યકારી યા અર્થક્રિયાકારી હતો તે જ દ્વિતીય આદિ ક્ષણોમાં કાર્યકારિતા યા અર્થક્રિયાકારિતાને છોડીને અકાર્યકારી અર્થાત્ અઅર્થક્રિયાકારી બની જશે અને પરિણામે અસત્ બની જશે અર્થાત નિત્ય પદાર્થનું અસ્તિત્વ જ નહિ રહે. અથવા તો નિત્ય પદાર્થનું કાર્યકારિતા સ્વભાવમાંથી અકાર્યકારિતા સ્વભાવમાં પરિવર્તન થવાના કારણે તે નિત્ય પદાર્થ અનિત્ય પદાર્થ બની જશે. નિત્યવાદી – નિત્ય પદાર્થનો અનેક કાર્યોને ઉત્પન્ન કરવાનો સમર્થ સ્વભાવ પ્રતિક્ષણે જાગ્રત જ હોય છે. તેથી દ્વિતીય આદિ ક્ષણોમાં પણ તે સ્વભાવ મોજૂદ હોવાથી તે નિત્ય પદાર્થ તે કાર્યોને પુનઃ પુનઃ કરતો રહે છે, ખાલી બેસી રહેતો નથી. ક્ષણિકવાદી– આપનું આ કથન તો તદ્દન અસ્વીકાર્ય છે, અયોગ્ય છે, કેમ કે જે કાર્યો પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ જ ગયાં છે તેમને જ નિત્ય પદાર્થ દ્વિતીયાદિ ક્ષણોમાં ફરી ફરી ઉત્પન્ન કેવી રીતે કરશે? એક વાર જે વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ છે તે જ વસ્તુની પુનઃ ઉત્પત્તિ કેવી? નિત્ય પદાર્થમાં જ્યારે તેનાં બધાં કાર્યોને ઉત્પન્ન કરવામાં કારણભૂત સમસ્ત સ્વભાવો એક સાથે રહેતા હોય તો દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પન્ન થનારાં બધાં કાર્યો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જવાં જોઈએ. જો દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પન્ન થનારાં કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નિત્ય પદાર્થમાં પ્રથમ ક્ષણે ન હોય અને દ્વિતીયાદિ ક્ષણોમાં તેનામાં તે સ્વભાવ આવતો હોય તો નિત્ય પદાર્થ અનિત્ય બની જવાની આપત્તિ આવે. આ રીતે નિત્ય પદાર્થ ન તો ક્રમથી પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરી શકે છે કે ન તો અક્રમથી અર્થાત યુગપતું. તેથી “પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન પદાર્થો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy