SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૫૧ [નિત્ય પદાર્થમાં ક્રમ અને યુગપતું બન્ને રીતે અર્થક્રિયાકારિતા કેવી રીતે અસંભવ છે, એ દર્શાવીએ છીએ. જ્યારે નિત્ય પદાર્થ પોતાને કરવાનાં કાર્યોને ઉત્પન્ન કરવા તત્પર થાય છે ત્યારે તે તે બધાં કાર્યોને ક્રમથી કરે છે કે તે બધાંને એક સાથે કરી નાખે છે? નિત્ય પદાર્થ સમર્થસ્વભાવવાળો તથા અપરિવર્તનશીલ હોય છે. તેમાં ન તો કોઈ નવો અતિશય કે સ્વભાવ ઉત્પન્ન થઈ શકે છે કે ન તો તેના વિદ્યમાન સ્વભાવનો નાશ કે ન્યૂનતા થઈ શકે છે. આવી સ્થિતિમાં જો નિત્ય પદાર્થો કરવાનાં પોતાનાં કાર્યોને તે નિત્ય પદાર્થ ક્રમથી કરે તો જે સમયે તે પ્રથમ કાર્યને કરે છે તે જ સમયે તેનામાં બીજા, ત્રીજા આદિ સમયોમાં થનારાં કાર્યોને કરવાનો સ્વભાવ છે કે નહિ? જો પ્રથમ કાર્ય જે સમયે તે કરે છે તે જ સમયે અન્ય કાર્યો કરવાનો તેનામાં સ્વભાવ હોય તો પ્રથમ કાર્યની જેમ અન્ય સર્વ કાર્યો પણ તે જ સમયે ઉત્પન્ન થઈ જ જવાં જોઈએ. અને આ રીતે બધાં કાર્યોની યુગપત ઉત્પત્તિ થઈ જતાં “ક્રમથી તેનું કાર્યોને કરવું ક્યાં સિદ્ધ થયું? નિત્યવાદી– નિત્ય પદાર્થમાં તેનાં બધાં કાર્યોને કરવાનું સામર્થ્ય સદા રહેલું જ છે પરંતુ જ્યારે જ્યારે જે જે કાર્યનાં સહકારી કારણો તેને મળે છે ત્યારે ત્યારે તે તે કાર્યને તે કરે છે. આમ સહકારી કારણો તેને ક્રમથી મળતા હોવાથી, નિત્ય પદાર્થ પણ ક્રમથી જ પોતાનાં કાર્યોને કરે છે. ક્ષણિકવાદી – વારુ, એ કહો કે જ્યારે સહકારી કારણ નિત્ય પદાર્થને સહાય કરે છે ત્યારે તે નિત્ય પદાર્થમાં કંઇક સામર્મોત્કર્ષ યા અતિશય ઉત્પન્ન કરે છે કે નહિ? જો તે નિત્ય પદાર્થમાં કોઈ નવો અતિશય ઉત્પન્ન કરતું હોય તો તે સમયે નિત્ય પદાર્થના સદાસ્થાયી પૂર્વસ્વભાવમાં કંઈ પરિવર્તન પણ થાય છે કે નહિ? તાત્પર્ય એ કે જે વખતે સહકારી કારણ કોઈ નવા અતિશય યા સામર્થ્યને લઈને નિત્ય પદાર્થ આગળ ઉપસ્થિત થાય છે તે વખતે નિત્ય પદાર્થ તે સામર્થ્યને ગ્રહણ કરતી વખતે – જે સામર્થ્ય તેનામાં પહેલાં ન હતું તેને ગ્રહણ કરતી વખતે – પોતાના પૂર્વસ્વભાવને અર્થાત અસમર્થ સ્વભાવને છોડે છે કે નહિ? જો નિત્ય પદાર્થે સહકારી કારણ દ્વારા લાવવામાં આવેલ નવા અતિશયને ગ્રહણ કરતી વખતે પોતાનો પૂર્વ અસમર્થ સ્વભાવ છોડી દીધો – જેને છોડ્યા વિના નવા સમર્થ સ્વભાવને ગ્રહણ કરવો સંભવ જ નથી – તો પૂર્વસ્વભાવનો ત્યાગ અને નવા સ્વભાવનું ગ્રહણ કરવાના કારણે નિત્ય પદાર્થમાં ઘણું પરિવર્તન થઈ જશે અને આ પરિવર્તન નિત્ય પદાર્થને સદાસ્થાયી નિત્ય સ્વરૂપમાં રહેવા દેશે નહિ, અર્થાત નિત્ય પદાર્થને અનિત્ય બનાવી દેશે. જો નિત્ય પદાર્થ પોતાનો પૂર્વકાલીન અસમર્થ સ્વભાવ ન છોડતો હોય તો એનો સ્પષ્ટ અર્થ એ થાય કે સહકારી કારણે નિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy