SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ તર્કરહસ્યદીપિકા पदार्था इत्यर्थः । तथा च बौद्धा अभिदधति-स्वकारणेभ्यः पदार्थ उत्पद्यमानः किं विनश्वरस्वभाव उत्पद्यते । अविनश्वरस्वभावो वा । यद्यविनश्वरस्वभावः, तदा तद्व्यापिकायाः क्रमयोगपद्याभ्यामर्थक्रियाया अभावात् पदार्थस्यापि व्याप्यस्याभावः प्रसजति । तथाहि- "यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति । स च नित्योऽर्थोऽर्थक्रियायां प्रवर्तमानः क्रमेण वा प्रवर्तेत, यौगपद्येन वा । न तावत् क्रमेण; यतो ह्येकस्या अर्थक्रियायाः . करणकाले तस्यापरार्थक्रियायाः करणस्वभावो विद्यते न वा । यदि विद्यते; कुतः क्रमेण करोति । अथ सहकार्यपेक्षया इति चेत् तेन सहकारिणा तस्य नित्यस्य कश्चिदतिशयः क्रियते न वा । यदि क्रियते; तदा कि पूर्वस्वभावपरित्यागेन क्रियते, अपरित्यागेन वा । यदि परित्यागेन; ततोऽतादवस्थ्यापत्तेरनित्यत्वम् । अथ पूर्वस्वभावापरित्यागेन; ततस्तस्य नित्यस्य तत्कृतोपकाराभावात् किं सहकार्यपेक्षया कर्तव्यम्। 60. પરમનિકૃષ્ટ અર્થાત્ સૌથી સૂક્ષ્મ કાલને ક્ષણ કહે છે. જગતના બધા સંસ્કારો યા પદાર્થો એક ક્ષણમાત્ર ટકે છે અને બીજી જ ક્ષણે તેઓ સ્વયં પોતાની મેળે જ નાશ પામે છે. તેથી તેઓ ક્ષણિક છે. પદાર્થોને ક્ષણિક માનવામાં બૌદ્ધોની વિચારસરણી નીચે પ્રમાણે છે: બૌદ્ધ – જગતના બધા પદાર્થો પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. આ એક નિર્વિવાદ વાત છે. તો હવે બતાવો કે તે પદાર્થો પોતપોતાનાં કારણોથી વિનશ્વર સ્વભાવ લઈને ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવ લઈને ? જો કહેવામાં આવે કે પદાર્થો અવિનશ્વર અર્થાત સદાસ્થાયી નિત્ય સ્વભાવ લઈને જ ઉત્પન્ન થાય છે તો કહેવું જોઈએ કે તેવા પદાર્થોનું તો અસ્તિત્વ જ નથી કેમ કે જે અર્થક્રિયાકારી છે તે જ પરમાર્થરૂપે સતુ છે અને નિત્ય પદાર્થ તો અર્થક્રિયાકારી સંભવતો નથી. અિર્થ એટલે કાર્યરૂપ વસ્તુ, તેને ઉત્પન્ન કરવાની ક્રિયા જે કરે છે તે અક્રિયાકારી.]. નિત્ય પદાર્થ ક્રમથી કે યુગપત્ કોઈ પણ રીતે કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ ન હોવાથી અસત્ જ સિદ્ધ થાય છે. અર્થક્રિયાકારિતા અને પદાર્થની સત્તામાં વ્યાપ્યવ્યાપકભાવ છે. અર્થક્રિયાકારિતા વ્યાપક છે અને પદાર્થની સત્તા વ્યાપ્ય છે. જ્યારે નિત્ય પદાર્થમાં ક્રમ અને યુગપતુ બન્ને રીતે અર્થક્રિયાકારિતાનો અભાવ છેઅર્થાત સત્તાની વ્યાપક અર્થક્રિયાકારિતાનો અભાવ છે ત્યારે નિત્ય પદાર્થમાં વ્યાપ્યભૂત સત્તાનો પણ અભાવ જ હોય. આમ નિત્યસ્વભાવવાળા પદાર્થના અભાવની આપત્તિ આવી પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy