SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ તર્કરહસ્યદીપિકા નિરોધના અર્થાત નિર્વાણના ઇચ્છુક મુમુક્ષુ જેને શોધે છે, જેની યાચના કરે છે તે માર્ગ છે. અહીં અન્વેષણના અર્થવાળા માર્ગણ ધાતુને ચુરાદિગણીય ણિ પ્રત્યય લગાવ્યા પછી અપ્રત્યય લગાવવાથી “માર્ગ' શબ્દ સિદ્ધ થાય છે. નિરોધમાં હેતુભૂત નૈરામ્ય આદિ ભાવનારૂપે પરિણમેલું ચિત્ત જ માર્ગ કહેવાય છે. આ નૈરામ્ય આદિ ભાવનાઓ જ નિર્વાણમાં કારણભૂત હોવાથી માર્ગ કહેવાય છે. ચિત્તની ક્લેશરહિત અવસ્થાને જ નિરોધ અર્થાત નિર્વાણ કહેવામાં આવે છે. રાગ-દ્વેષ આદિથી વિકૃત ચિત્તરૂપી સંસારનો જેના વડે નાશ કરવામાં આવે છે તે નિરોધ અર્થાત્ મુક્તિ છે. અહીં કરણાર્થક ઘમ્ પ્રત્યય લગાડીને “નિરોધ' શબ્દ સિદ્ધ કરવામાં આવ્યો છે. [બૌદ્ધોનાં આ ચાર આર્યસત્યો એ જ પાતંજલ યોગનો ચતુર્વ્યૂહ છે. ત્યાં કહ્યું છે કે ચિકિત્સાશાસ્ત્ર (આયુર્વેદશાસ્ત્ર) ચતુર્વ્યૂહવાળું (અર્થાત્ ચાર વિભાગોનો યા બાબતોનો વિચાર કરવાવાળું) છે, તે ચાર બૂહ છે – રોગ, રોગહેતુ, આરોગ્ય અને ભૈષજ્ય, તેવી જ રીતે આ યોગશાસ્ત્ર પણ ચાર ભૂહોનો વિચાર કરે છે – સંસાર, સંસારહેતુ, મોક્ષ અને મોક્ષોપાય. યથા વિશિä વાળંદમ્ – જેનો હેતુ મારોળ્યું भैषज्यमिति । एवमिदमपि शास्त्रं चतुर्म्यहम् - तद् यथा संसार: संसारहेतुः मोक्षो मोक्षोपायः રૂતિ . વ્યાસભાષ્ય, ૨,૧૫. ન્યાયદર્શનમાં ન્યાયસૂત્ર ૧.૧.૧, ઉપરના પોતાના વાર્તિકમાં ઉદ્યોતકર કહે છે – તાનિ વારિ અર્થપાનિ [ફેયમ્ (સુદ), તયે નિર્વર્તમ્ (રુ વસમુ :), દીનત્યન્તિલમ્ (રુ વનિરોધ:), તોપાય: (દુઃનિરોધHI:)] સર્વાસુ ધ્યાત્મિવિદ્યાહુ સર્વાવાદ્વૈર્વષ્યને સાંખ્યદર્શન પણ હેય, હેયહેતુ, હાન, હાનોપાયની જ વાત કરે છે. ચાર આર્યસત્યો યા ચાર ભૂહો યા ચાર અર્થપદોનું જ વિસ્તૃત રૂપ જૈનોનાં સાત તત્ત્વો છે. કોઈપણ શાસ્ત્રને તેનાં સ્વયંસિદ્ધ (self-evident) સત્યો (axioms) હોય છે. તે શાસ્ત્રમાં પ્રવેશવા, આગળ વધવા અને તેને વ્યવહારમાં ઉતારવા માટે તે સત્યોનો સ્વીકાર અને તે સત્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અર્થશાસ્ત્ર (Economics) ભણવા ઇચ્છનારે તેનું મહત્ત્વનું સ્વયંસિદ્ધ સત્ય (axiom) સ્વીકારવું જ જોઈએ, અન્યથા તે અર્થશાસ્ત્રમાં પ્રવેશ પામી જ ન શકે. તે સ્વયંસિદ્ધ સત્ય છે – ઈચ્છાઓ યા જરૂરિયાતો અનંત છે પણ તેમને પૂરી કરવા માટેની સાધનસામગ્રી મર્યાદિત છે (Wants are unlimited and resources are limited)તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં જેને પ્રવેશવું છે, આગળ વધવું છે અને, તેને જીવનમાં ઉતારવું છે તેણે અધ્યાત્મશાસ્ત્રનાં જે સ્વયંસિદ્ધ સત્યો (axioms) છે તેમને સ્વીકારવા જોઈએ, તેમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. આ સ્વયંસિદ્ધ સત્યો જ ચાર આર્યસત્યો યા ચાર બૃહો યા ચાર અર્થપદો યા સાત તત્ત્વો છે. એટલે જ ઉદ્યોતકર કહે છે કે અધ્યાત્મવિદ્યાના આ સ્વયંસિદ્ધ સત્યોનું પ્રતિપાદન બધા આચાર્યોએ કરવું જોઈએ.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy