SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તર્કરહસ્યદીપિકા सर्वाणि दर्शनानि तेषामेव वाच्योऽत्र, वक्तव्यतया प्रतिज्ञातोऽस्ति नोत्तरभेदापेक्षया, ततो न कश्चन दोषः । सर्वशब्दं च व्याचक्षाणैरस्माभिः पुराप्ययमर्थो दर्शित एव परं विस्मरणशीलेन भवता विस्मारित इति ॥ १ ॥ एनमेवार्थं ग्रन्थकारोऽपि साक्षादाह दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया । देवतातत्त्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ॥२॥ 41. શંકા આમ જ્યારે અનેક દર્શનો પોતપોતાના બહુસંખ્ય ભેદો અને પેટાભેદો સાથે જગતમાં પ્રસિદ્ધ છે અને તે બધાં અગણિત દર્શનોના દેવતા, તત્ત્વ તથા પ્રમાણ આદિનું નિરૂપણ કરવું આ લઘુ ગ્રન્થમાં કોઈ પણ રીતે શક્ય જ નથી ત્યારે આચાર્યે ‘સર્વદર્શનોના વાચ્ય અર્થાત્ પ્રતિપાદ્ય અર્થને હું કહીશ યા નિરૂપીશ' એવી અસંભવ પ્રતિજ્ઞા શા માટે કરી ? આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવી એ તો આંગળી વડે આકાશને માપવા કે સમુદ્રના બન્ને તટની રેતીના કણોની ગણના કરવા જેવું અત્યન્ત દુષ્કર જ નહિ કિન્તુ નિતાન્ત અસંભવ કામ છે. સમાધાન – આપની શંકા તો ત્યારે યોગ્ય ઠરે જ્યારે ગ્રન્થકારે બધાં દર્શનોના અવાન્તર ભેદ-પ્રભેદોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી હોય. પરંતુ ગ્રન્થકારે પોતે જ મૂળ ભેદોની અપેક્ષાએ જ સર્વ દર્શનોના પ્રતિપાદ્ય અર્થનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી છે, ઉત્તર ભેદ-પ્રભેદોની અપેક્ષાએ એવી પ્રતિજ્ઞા કરી નથી. તેથી કોઈ દોષ નથી. મૂલ દર્શનોનું નિરૂપણ ગ્રન્થકાર પોતાની પ્રતિજ્ઞા અનુસાર કરશે જ. અમે પોતે જ ‘સર્વ’ શબ્દને સમજાવતી વખતે આ વાત સ્પષ્ટ કરી દીધી હતી. એ તો આપની પોતાની સ્મરણશક્તિનો દોષ છે કે આપ તેને ભૂલી ગયા. (૧) ગ્રન્થકાર પોતે જ આ જ વાત સાક્ષાત્ સ્પષ્ટ શબ્દોમાં કહે છે— દેવતા અને તત્ત્વના મૂળ છ ભેદોની અપેક્ષાએ મૂળ છ દર્શનોને જ બુદ્ધિમાનોએ અહીં ગ્રન્થમાં જાણવા જોઈએ. (૨) " : 42. अत्र प्रस्तुतेऽस्मिन् ग्रन्थे दर्शनानि षडेव, मूलभेदव्यपेक्षया मूलभेदापेक्षया मनीषिभिर्मेधाविभिर्ज्ञातव्यानि न पुनरवान्तरतद्भेदापेक्षयाधिकानि, परमार्थतस्तेषामेष्वेवान्तर्भावात् । षडेवेति सावधारणं पदम् । केन हेतुना मूलभेदानां षोढात्वमित्याशङ्क्याह- देवतातत्त्वभेदेन इति । देवा एव देवताः, स्वार्थेऽत्र तत्प्रत्ययः, तत्त्वानि प्रमाणैरुपपन्नाः परमार्थसन्तोऽर्थाः, द्वन्द्वे देवतातत्त्वानि तेषां भेदेन पार्थक्येन । ततोऽयमत्रार्थः - देवतातत्त्व Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy