SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તર્કરહસ્યદીપિકા विज्ञप्तिमात्रम् । अन्य एकजीवात्मकम् । केचिदनेकजीवात्मकम् । परे पुरातनकर्मकृतम् । अन्ये स्वभावजम् । केचिदक्षरजातभूतोद्भूतम् । केचिदण्डप्रभवम् । आश्रमी त्वहेतुकम् । पूरणो नियतिजनितम् । पराशरः परिणामप्रभवम् । केचिद्यादृच्छिकम् । नैकवादिनोऽनेकस्वरूपम् । तुरुष्का गोस्वामिनामकदिव्यपुरुषप्रभवम् । इत्यादयोऽनेके वादिनो विद्यन्ते । एषां स्वरूपं लोकतत्त्वनिर्णयात् हारिभदादवसातव्यम् । 38. અથવા લોકના સ્વરૂપ બાબતે પણ અનેક વાદીઓ અનેક જાતની કલ્પનાઓ કરે છે, અનેક મતો રજૂ કરે છે. તે આ પ્રમાણે છે કેટલાક મતવાદીઓ નારીશ્વરે અર્થાત મહેશ્વરે જગતનું સર્જન કર્યું છે એમ માને છે. બીજા કેટલાક સોમ અને અગ્નિથી જગતની ઉત્પત્તિ થઈ છે એમ કહે છે. વૈશેષિકો જગતને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ ષપદાર્થરૂપ સમજે છે. કેટલાક કાશ્યપને અર્થાત બ્રહ્માને જગતના કર્તા ગણે છે. કેટલાક જગતને દક્ષ પ્રજાપતિકૃત માને છે. કેટલાક જગતને બ્રહ્મા-વિષ્ણુમહેશની ત્રિમૂર્તિનું સર્જન કહે છે. વૈષ્ણવો જગતને વિષ્ણુમય માને છે. પૌરાણિકો કહે છે કે વિષ્ણુની નાભિના કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, બ્રહ્માજી અદિતિ આદિ જગન્માતાઓનું સર્જન કરે છે, અને આ જગન્માતાઓએ સજર્યું છે જગત. કેટલાક કે છે કે વર્ણવ્યવસ્થાથી રહિત વર્ણશૂન્ય જગતને બ્રહ્માએ ચતુર્વર્ણમય બનાવ્યું છે. કેટલાક મતવાદીઓ જગતને કાલકૃત માને છે. બીજા કેટલાક જગતને પૃથ્વી આદિ અષ્ટમૂર્તિવાળા ઈશ્વરનું સર્જન ગણે છે. વળી બીજા કેટલાક બ્રહ્માના મુખ આદિમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિની ઉત્પત્તિ દર્શાવે છે. સાંખ્યો સૃષ્ટિને પ્રકૃતિકૃત માને છે. બૌદ્ધો જગતને ક્ષણિક વિજ્ઞાનરૂપ વર્ણવે છે. બ્રહ્માદ્વૈતવાદીઓ જગતને એકજીવરૂપ કહે છે. કેટલાક ચિત્તકો જગતને બહુજીવરૂપ કહે છે. બીજા કેટલાક જગતને પૂર્વકર્મનું સર્જન માને છે. વળી કેટલાક જગતને સ્વભાવોત્પન્ન માને છે. કેટલાક મતવાદીઓ અક્ષરથી સમુત્પન્ન ભૂતો દ્વારા જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક તો ઇંડામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ માને છે. આશ્રમી સૃષ્ટિની ઉત્પત્તિને અહેતુક માને છે, તેની ઉત્પત્તિનું કોઈ ઉત્પાદક કારણ જ નથી. પૂરણ જગતને નિયતિજન્ય ગણે છે. પરાશર તેને પરિણામજન્ય કહે છે. કેટલાક સૃષ્ટિની ઉત્પત્તિને વાદચ્છિક અર્થાત્ અનિયત હેતુજન્ય માને છે. અનેક મતવાદીઓ સૃષ્ટિને અનેક સ્વરૂપવાળી દર્શાવે છે. તુષ્કો ગોસ્વામી નામના દિવ્ય પુરુષમાંથી જગતની ઉત્પત્તિ માને છે. આ પ્રમાણે અનેક મતવાદીઓ જગત અંગે પોતપોતાના વિવિધ મતોનું અનેક રીતે નિરૂપણ કરે છે. તેમનું વિશેષ સ્વરૂપ હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાંથી જાણી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy