SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૨૭ પુરવાર કરી શકાય. જગતમાં પર્વત આદિ ધૂળ કાર્યોને જોઈને તે સ્થળ કાર્યોના ઉત્પાદક કારણ તરીકે સૂક્ષ્મ પરમાણુઓનું અનુમાન થઈ શકે છે, પરંતુ આત્માનું કોઈ સ્થૂળ કાર્ય આપણને દષ્ટિગોચર થતું નથી કે જેને આધારે આપણે આત્માનું અનુમાન કરી શકીએ. આમ પ્રત્યક્ષ અને અનુમાનોનો વિષય ન હોવાથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તેથી આત્મા નથી. આ જ રીતે ઈશ્વરથી યદચ્છા સુધીના વિકલ્પોની અપેક્ષાએ નાસ્તિ'ની મીમાંસા કરી લેવી જોઈએ, આ કાલ આદિના મળીને જે છે વિકલ્પો થાય છે તેમાંથી પાંચનો અર્થ તો પહેલાની જેમ જ સમજી લેવો. 31. नवरं यदृच्छात इति यदृच्छावादिनां मते यदृच्छा ह्यनभिसंधिपूर्विकार्थप्राप्तिः । अथ के ते यदृच्छावादिनः ? उच्यते-इह ये भावानां संतानापेक्षया न प्रतिनियतं कार्यकारणभावमिच्छन्ति किन्तु यदृच्छया ते यदृच्छावादिनः । ते ह्येवमाहुः- न खलु प्रतिनियतो वस्तूनां कार्यकारणभावस्तथा प्रमाणेनाग्रहणात् । तथाहि-शालूकादपि जायते शालूको गोमयादपि जायते शालूकः, वह्नेरपि जायते वह्निररणिकाष्ठादपि । धूमादपि जायते धूमोऽग्नीन्धनसम्पर्कादपि । कन्दादपि जायते कदली बीजादपि । वटादयो बीजादुपजायन्ते शाखैकदेशादपि । गोधूमबीजादपि जायन्ते गोधूमा वंशबीजादपि । ततो न प्रतिनियतः क्वचिदपि कार्यकारणभाव इति । यदृच्छातः क्वचित् किंचिद् भवतीति प्रतिपत्तव्यम् । न खल्वन्यथा वस्तुसद्भावं पश्यन्तोऽन्यथात्मानं प्रेक्षावन्तः परिक्लेशयन्ति । यदुक्तम् "अतर्कितोपस्थितमेव सर्वं चित्रं जनानां सुखदुःखजातम् । काकस्यतालेनयथाभिघातो नबुद्धिपूर्वोऽस्ति वृथाभिमानः॥१॥" ]ત્યાદ્રિા 31. યદચ્છા' વિકલ્પનો અર્થ આ છે – યદચ્છાવાદીઓના મતે યદચ્છાનો અર્થ એ છે કે સંકલ્પ કે ઇચ્છા કર્યા વિના જ અર્થ પ્રાપ્ત થવો અર્થાત્ જેનો વિચાર જ ન કર્યો હોય તેની અતર્કિત પ્રાપ્તિ થવી. યદચ્છાવાદીઓ વસ્તુઓમાં સન્તાનની અપેક્ષાએ નિશ્ચિત કાર્યકારણભાવ માનતા નથી. તેમનું કહેવું છે કે વસ્તુઓમાં પ્રતિનિયત કાર્યકારણભાવનું ગ્રહણ કોઈ પણ પ્રમાણથી થતું નથી, તેથી પ્રતિનિયત કાર્યકારણભાવ કાલ્પનિક જ છે, અપ્રામાણિક છે. ઉદાહરણાર્થ, કમલકન્દથી પણ કમલકન્દ ઉત્પન્ન થાય છે અને છાણથી પણ કમલકન્દ ઉત્પન્ન થાય છે. અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે અને અરણિ કાઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ધૂમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy