SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તર્કરહસ્યદીપિકા પણ ધૂમ પેદા થાય છે અને અગ્નિ તથા ઇંધનના સંયોગથી પણ ધૂમ પેદા થાય છે. કન્દથી પણ કેળ ઉત્પન્ન થાય છે અને બીજથી પણ કેળ ઉત્પન્ન થાય છે. વડ બીજથી પણ ઉત્પન્ન થાય છે અને ડાળી કાપી તેની કલમ લગાવવાથી પણ ઉત્પન્ન થાય છે. ઘઉંના બીજથી પણ ઘઉં પેદા થાય છે અને વાંસના બીજથી પણ ઘઉં પેદા થાય છે. આમ નિરીક્ષણ કરતાં જણાય છે કે વસ્તુઓમાં ક્યાંય પણ નિયત કાર્યકારણભાવ નથી. યદચ્છાથી યા અકસ્માત જ કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુથી ઉત્પન્ન થઈ જાય છે, એમ સ્વીકરવું જોઈએ. જ્યારે વસ્તુઓનો સ્વભાવ જ યાદચ્છિક અર્થાત અનિયત છે તો પછી વસ્તુઓને પ્રતિનિયત કાર્યકારણભાવના બંધનમાં કસીને શા માટે બાંધવી ? કોઈપણ બુદ્ધિમાન માણસ આ અપ્રામાણિક પ્રતિનિયત કાર્યકારણભાવને સિદ્ધ કરવાના કાર્યમાં પોતાની બુદ્ધિને કષ્ટ શા માટે આપે ? કહ્યું પણ છે કે – જેવી રીતે કાકતાલીયન્યાયમાં તાડના વૃક્ષ ઉપરથી નીચે પડતા ફળ સાથે કાગડાનું અથડાવું અકસ્માત જ વિના વિચારે થતી ઘટના છે, તેવી જ રીતે જગતમાં બધા જીવોનાં વિવિધ પ્રકારનાં સઘળાં સુખ અને દુઃખો અતર્કિતોપસ્થિત છે અર્થાત વિના વિચારે જ આપ મેળે જ જીવો ઉપર આવી પડે છે. સુખ-દુઃખની ઉત્પત્તિમાં કોઈનો પણ બુદ્ધિપૂર્વક વ્યાપાર હોતો નથી. તેથી આ યાદચ્છિક જગતમાં હું કરું છું, હું કરું છું એવો અહંકાર કરવો વ્યર્થ છે. કોઈ કોઈનું કંઈ પણ કરી શકતું નથી, બધું એમ જ આપોઆપ થયા કરે છે. (૧) [ 32. “ટૂથપેવ સર્વ જ્ઞાતિનરામUવિ નો વિત્તીયાતિ तथा च स्वतः षड्विकल्पा लब्धास्तथा नास्ति परतः कालत इत्येवमपि षड्विकल्पा लभ्यन्ते । सर्वेऽपि मिलिता द्वादश विकल्पा जीवपदेन लब्धाः । एवमजीवादिष्वपि षट्सु पदार्थेषु प्रत्येकं द्वादशद्वादश विकल्पा लभ्यन्ते । ततो द्वादशभिः सप्त गुणिताश्चतुरशीतिर्भवन्त्यक्रियावादिनां विकल्पाः । 32. જગતના જીવોનાં જન્મ, જરા, મૃત્યુ આદિબધું જ કાકતાલીયન્યાયે અચાનક અકસ્માત્ પૂર્વસૂચનાવિના થતું જ રહે છે, એ તો સૌના અનુભવની વાત છે. આ રીતે “સ્વતઃ'ની અપેક્ષાએ છ ભેદો થયા. ‘નાત રતઃ તિતિ: અર્થાતુ પરત નથી કાલની અપેક્ષાએ' આ રીતે પરતઃ'ની અપેક્ષાએ પણ છ ભેદ થાય છે. જેવી રીતે જીવના આ બાર ભેદ “સ્વત’ અને ‘પરત ની અપેક્ષાએ થાય છે તેવી જ રીતે અજીવ આદિ છના પણ બાર બાર વિકલ્પો(ભેદો) સમજવા જોઈએ. આમ સાતે જીવ, અજીવ આદિ પદાર્થોને બાર વિકલ્પોથી ગુણતાં (૭ X ૧૨) અક્રિયાવાદીઓના ચોરાશી ભેદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy