SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તર્કરહસ્યદીપિકા માને છે. તેમનું કહેવું છે કે બધી વસ્તુઓ ક્ષણિક છે. કોઈપણ ક્ષણિક વસ્તુની બીજી ક્ષણે સત્તા રહેતી નથી કારણ કે ઉત્પત્તિ થતાંવેત જ તેનો નાશ થઈ જાય છે. તેથી ક્ષણિક વસ્તુમાં ક્રિયાની અર્થાત અસ્તિત્વની યા સ્થિતિની સંભાવના જ નથી. અને એટલે જ અક્રિયાવાદીઓ આત્મા આદિ નિત્ય યા સ્થિર વસ્તુઓનું અસ્તિત્વ માનતા નથી. કોકુલ, કાઠેવિ, વિરોમક, સુગત વગેરે મુખ્ય અક્રિયાવાદીઓ છે. તેમનામાંથી કોઈકે કહ્યું છે કે– બધા સંસ્કારો યા પદાર્થો ક્ષણિક છે, અસ્થિર અર્થાત ક્ષણિક વસ્તુઓમાં ક્યિા ક્યાંથી સંભવે? તેથી આ બધી ક્ષણિક વસ્તુઓની બાબતમાં તો જે ભૂતિ અર્થાત્ ઉત્પત્તિ છે તે જ ક્રિયા અર્થાત્ સ્થિતિ છે અને તે જ કારણ યા કારક છે.”(૧) 30. પતેષાં ચતુરતિર્મવતિ રામુનપાન કૃધ્યા– પુષ્કાપુથवर्जितशेषजीवाजीवादिपदार्थसप्तकन्यासः, तस्य चाधः प्रत्येकं स्वपरविकल्पोपादानम्, असत्त्वादात्मनो नित्यानित्यविकल्पौ न स्तः, कालादीनां पञ्चानामधस्तात् षष्ठी यदृच्छा न्यस्यते । इह यदृच्छावादिनः सर्वेऽप्यक्रियावादिनस्ततः प्राग्यदृच्छा नोपन्यस्ता । तत एवं विकल्पाभिलापः- 'नास्ति जीवः स्वतः कालतः' इत्येको विकल्पः । अयं भावः- इह पदार्थानां लक्षणतः सत्ता निश्चीयते कार्यतो वा । न चात्मनस्तादृगस्ति लक्षणं येन तत्सत्ता प्रतिपद्येमहि । नापि कार्यमणूनामिव महीधादि संभवति, अतो नास्त्यात्मेति । एवमीश्वरादिवादिभिरपि यदृच्छापर्यन्तैर्विकल्पा वाच्याः । सर्वेऽपि मिलिताः षड्विकल्पाः । अमीषां च विकल्पानामर्थः प्राग्वद्भाવનઃ . 30. અક્રિયાવાદીઓના ચોરાશી ભેદો છે. તે ચોરાશી ભેદો આ રીતે સમજવાપુણ્ય અને પાપને છોડીને બાકીના જીવ, અજીવ આદિ સાત પદાર્થોને લખો. પછી તે દરેકની નીચે સ્વ અને પર એમ બે બે વિકલ્પો લખો. અક્રિયાવાદીઓ આત્મા આદિ નિત્ય પદાર્થોનું અસ્તિત્વ માનતા ન હોવાથી નિત્ય અને અનિત્યથી થતાં બે બે વિકલ્પો થશે નહિ. પ્રત્યેક સ્વ અને પરની નીચે કાલ આદિ પાંચ અને છઠ્ઠી યદચ્છા લખો. આમ ચોરાશી ભેદો થાય છે.] બધા યદચ્છાવાદીઓ અક્રિયાવાદી હોવાથી પહેલાં ગણાવેલા ક્રિયાવાદીઓના ભેદોની ગણનામાં યદચ્છાથી થતા ભેદો થા વિકલ્પો ગણાવ્યા નથી. અક્રિયાવાદીઓનો પ્રથમ વિકલ્પ (ભેદ) નાસ્તિ નીવ: સ્વત: પ્રાત:' અર્થાત્ “જીવ સ્વતઃ નથી કાલની દષ્ટિએ આ રીતનો થાય છે. તેનું તાત્પર્ય આ છે – પદાર્થોની સત્તાનો નિશ્ચય કાં તો લક્ષણ અર્થાત્ અસાધારણ ધર્મથી થાય છે કાં તો તેમનાં કાર્યો દેખીને થાય છે. પરંતુ આત્માનું કોઈ અસાધારણ લક્ષણ નથી જેનાથી તેની સત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy