________________
૬૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ભોગભૂમિયો માનવામાં આવી છે. જેમકે-જંબુદ્વીપમાં એક હેમવત, એક હરિ એક રમ્યક એક હેરવત, એક દેવકર અને એક ઉત્તરકુરુ-આ છ ક્ષેત્ર છે. એ જ રીતે ઘાતકીખંડ દ્વીપ અને પુષ્કરાર્ધ દ્વીપમાં હેમવતાદિ પ્રત્યેકના બે બે ક્ષેત્ર હોવાથી બંનેના ૧૨-૧ર ક્ષેત્ર થાય છે. આમ કુલ ગણતરી કરતાં અકર્મભૂમિનાં ૩૦ ક્ષેત્ર માનવામાં આવેલ છે.
(ગ) અંતરદ્વીપ-કર્મભૂમિ અને અકર્મભૂમિના પ્રદેશ સિવાય, સમુદ્રની મધ્યમાં જે દીપ રહી જાય છે તેને “અંતરદ્વીપ' કહેવામાં આવે છે. તેનાં ૨૮ ક્ષેત્રોમાં પણ મનુષ્યોનો નિવાસ માનવામાં આવ્યો છે.
આમ આ મધ્યલોક આટલો વિશાલ હોવા છતાં પણ ત્રણે લોકોના ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું ક્ષેત્રફળ નહીંવત્ છે.
અધોલોક આ મધ્યલોકની નીચે આવેલો પ્રદેશ છે. તેમાં ક્રમશ: નીચે અને નીચે સાત પૃથ્વીઓ છે. તે ક્રમશ: સાત નર્કના નામથી પ્રસિદ્ધ છે. તેમાં મુખ્યત્વે નારકી ૧ એજન ૨ જંબુદ્વીબની ચારે બાજુ ફેલાયેલ લવણસમુદ્રમાં હિમવાનું પર્વત સંબંધી ૨૮
અંતરદ્વીપ છે. તે અને સાત ચતુષ્કોમાં વિદ્યમાન છે. ક્રમશ: તેમનાં નામો આ મુજબ છે : પ્રથમ ચતુષ્ક – એકોક, આભાષિક, લાંગુલિક અને વૈષાણિક દ્વિતીય ચતુષ્ક – હયક, ગજકર્ણ, ગોકર્ણ અને શક્લીક તૃતીય ચતુષ્ક – આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ ચતુર્થ ચતુષ્ક – અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ પંચમ ચતુષ્ક – અશ્વકર્ણા, સિહક, ગજકર્ણ અને કર્ણ પ્રાવરા ષષ્ઠ ચતુષ્ક – ઉલ્કામુખ, વિદ્યુમ્મુખ, જિદ્વામુખ અને મેઘમુખ
સપ્તમ ચતુષ્ક – ઘનદત્ત, ગૂઢદત્ત, શ્રેષ્ઠદત્ત અને શુદ્ધદત્ત આ પ્રકારે શિખરણપર્વત સંબંધી પણ ૨૮ અંતરદ્વીપ છે. આમ કુલ મળીને ૧૬
અંતદ્વીપ થાય છે. પરંતુ, બંનેને જુદા માનીને ગ્રંથમાં અંતદ્વીપોના ૨૮
અવાત્તરદ્વીપ ગણાવવામાં આવ્યા છે. જુઓ, ર૬. ૧૯૬. (આત્મારામ ટીકા પૃ. ૧૭૫૯-૧૭૬૦; ઘાસીલાલ ટીકા
ભાગ-૪ પૃ. ૯૦૫. ૯૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org