SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પપ બીજો ભાગ-તે માત્ર આકાશ પ્રદેશ છે અને તેને “અલોક” અથવા “અલોકાકાશ' કહેવામાં આવે છે. આ પ્રકારના વિભાજનનો આધાર છે સૃષ્ટિ તત્ત્વોની હાજરી અને ગેરહાજરી. જો આવું વિભાજન ન કરવામાં આવ્યું હોત તો આ વિશ્વને અસીમ માનવું પડત. આકાશ-પ્રદેશની કોઈ સીમા ન હોવાથી તેની લોકબહાર (અલોકમાં) પણ સત્તા માનવામાં આવી છે. અલોકની કોઈ સીમા ન હોવાથી તથા ત્યાં કોઈ પણ જીવની ગતિ સંભવતી ન હોવાથી, વિવેચનીય વિષય “લોક” જ છે. ક્ષેત્રીની દષ્ટિએ લોકને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. ૧ ઉપરનો ભાગ (ઊર્ધ્વલોક) ૨. વચ્ચેનો ભાગ (તિર્યક અથવા મધ્યલોક) અને ૩ નીચેનો ભાગ (અધોલોક). લોકના જે આ ત્રણ ભાગ પાડવામાં આવ્યા તેનું જો કે ગ્રન્થમાં વિસ્તૃત વર્ણન નથી છતાં પણ તે સમજ્યા વગર આગળનું વિવેચન સમજવું સરળ ન હોવાથી ગ્રંથમાં મળતા સંકેતોને આધારે ત્રણ લોકનું વર્ણન કરવું જરૂરી છે. ઊર્ધ્વલોક : જ્યાં આપણો નિવાસ છે તેનાથી ઉપરના ભાગને “ઊર્વલોક' કહેવામાં આવે છે. ઊર્ધ્વલોકમાં મુખ્ય રૂપે દેવોનો નિવાસ હોવાથી તેને દેવલોક, બ્રહ્મલોક, १ जीवा चेव अजीवा य एस लोए वियाहिए । अजीवदेसमागासे अलोए से वियाहिए । –૩. ૩૬. ૨. તથા જુઓ – ઉ. ૨૮. ૭, ૩૬. ૭. ૨ ગટ્ટુ પદે ય તિર્ષિ ૨ા. –૩. ૩૬. ૫૦. તથા જુઓ - ઉ. ૩૬. ૫૪. ૩ વિશેષ માટે જુઓ - તત્ત્વાર્થસૂત્ર, અધ્યાયઃ ૩, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, જીવાભિગમસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ભગવતીસૂત્ર વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy