________________
४८८
પરિશિષ્ટ ૩ સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો
ઉત્તરાધ્યયનના ચરણવિધિ નામના એકત્રીશમા અધ્યયનમાં સાધુઓને કેટલીક બાબતોમાં વિવેકી થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું ફળ મુક્તિ છે એમ પણ કહેવામાં આવ્યું છે. મૂળ ગ્રંથમાં એ બાબતોની માત્ર સંખ્યા ગણાવવામાં આવી છે. ટીકા-ગ્રંથોમાં તેની વિસ્તૃત રજુઆત થઈ છે. સાધ્વાચારની ચર્ચા પ્રસંગે જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સિવાયની બાબતોને મુખ્યત્વે બે ભાગોમાં વિભક્ત કરી શકાય : ૧ ત્યાજ્ય સંજ્ઞાદિ દોષ અને ૨ અધ્યયનીય ગાથાદિ ગ્રંથાધ્યયન.
ત્યાજ્ય : ત્યાજ્ય સંજ્ઞાદિ દોષ આ પ્રમાણે છે :
સંજ્ઞાઓ (Expressions of emotions) : સંવેદનાત્મક ચિત્તવૃત્તિ અથવા ભાવના-વિશેષને “સંજ્ઞા' કહેવામાં આવે છે. તેના આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહના ભેદથી ચાર પ્રકારો પાડવામાં આવે છે. સાંસારિક બધા વિષયોની અભિલાષારૂપ ચિત્તવૃત્તિથી વિરક્ત હોવાને કારણે સાધુએ આ બધાથી વિરક્ત થવું આવશ્યક છે.
ક્રિયાઓ (Actions) : વ્યાપાર-વિશેષને “ક્રિયા' કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧કાયચેષ્ટારૂપ સામાન્ય ક્રિયા (કાયિકી), ૨ ખડુગાદિ સાધન સાથે કરવામાં આવેલી ક્રિયા (આધિકરણિકી), ૩ દ્વેષભાવ જન્ય ક્રિયા (પ્રાષિકી), ૪ કષ્ટ દેનારી ક્રિયા (પારિતાપનિકી) અને ૫ પ્રાણવિનાશક ક્રિયા (પ્રાણાતિપાતિક). સાધુએ અહિંસા મહાવ્રતની રક્ષા માટે આ બધી ક્રિયાઓનો ત્યાગ કરવો જરૂરી છે.
૧ ઉ. ૩૧. ૬, સમવા. સમવાય ૪. ૨ ઉ. ૩૧. ૭, સમવા. સમવાય ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org