________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય
૪૮૭
નિન્દા કરી અને માર્યા. આ જોઈ યક્ષે તેમની રક્ષા કરી. પછી બ્રાહ્મણ પત્ની યશાએ પરિવાર સાથે માફી માગી ત્યારે મુનિએ યજ્ઞાત્ર સ્વીકાર્યું અને ભાવયજ્ઞનું પ્રતિપાદન કર્યું.
હરિષેણ :
એ મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, શત્રુઓનું માનમર્દન કરનાર, દસમો ચક્રવર્તી રાજા હતો. તેણે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો.
આ રીતે આ મહાપુરુષોમાંના કેટલાક ક્ષત્રિય છે કેટલાક જૈન મુનિ છે કેટલાક બ્રાહ્મણો છે તો કોઈ દેવ અને તીર્થંકર છે. ઋષભ, પાર્શ્વ, મહાવીર, શ્રેણિક, ઉદાયન વગેરે ઐતિહાસિક મહાપુરુષો છે?.
૧ ૬. ૧૮. ૪૨. ૨ જુઓ – જૈ. ભા. સં. પરિ-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org