________________
૪૫૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
બીજે ગામ ફરતાં સંયોગવશ એક સમયે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. પોતપોતાના શિષ્યો સાથે કેશિ ‘તિન્દુક’ ઉદ્યાનમાં અને ગૌતમ ‘કોષ્ટક' ઉદ્યાનમાં રહ્યા. બંને જ્ઞાની અને સદાચાર સંપન્ન હતા. તેમના શિષ્યોએ જ્યારે એકબીજાના બાહ્યવેશ અને મહાવ્રતોના વિષયમાં તફાવત જોયો ત્યારે તેઓને શંકા થઈ. તેમણે વિચાર્યું બંને એક જ ધર્મમાં માનનારા છે તો પછી આવો તફાવત કેમ ? શિષ્યોની આ શંકા જાણીને બંનેએ પરસ્પર મળવાની ઈચ્છા કરી. કેશિને જ્યેષ્ઠકુળના જાણીને ગૌતમ પોતાના શિષ્ય-પરિવાર સાથે તિન્દુક ઉદ્યાનમા ગયા. ગોતમને આવતા જોઈ કેશિએ તેમનો ઉચિત સત્કાર કર્યો. આસન ઉપર બેઠેલા તે બંને સૂર્ય અને ચંદ્ર જેવા શોભતા હતા. તેમના સમાગમને જોઈ ઘણા ગૃહસ્થો, દેવો, દાનવો, યક્ષો, રાક્ષસો અને પાંખડી આદિ હજારોની સંખ્યામાં ત્યાં એકઠા થયા. તે પછી કેશિએ શિષ્યોની શંકા દૂર કરવા માટે ગૌતમની અનુમતિ લઈ કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ગૌતમે તેના દેશ-કાળ અનુરૂપ સયુક્તિક ઉત્તરો આપ્યા.
કેશિ : જ્યારે બંને તીર્થંકરોના ઉદ્દેશ્ય સમાન જ છે ત્યારે પાર્શ્વનાથના ચતુર્યામરૂપ ધર્મને મહાવીરે પંચયામ (પાંચ મહાવ્રત)માં શામાટે પરિવર્તિત કર્યો છે ?
ગૌતમ : જ્ઞાનથી ધર્મ-તત્ત્વનો નિશ્ચય કરી તથા દેશકાળ અનુસાર બદલાતી જતી જન સામાન્યની પ્રવૃત્તિઓને` ધ્યાનમાં રાખીને ધર્મમાં આ આચાર વિષયક પરિવર્તન કરવામાં આવ્યું છે. જો એમ ન કરવામાં આવે તો ધર્મ સ્થિર ન રહી શકે.
કેશિ : પાર્શ્વનાથના સાન્તરોત્તર (સચેલ) ધર્મને મહાવીરે અચેલ ધર્મમાં કેમ પરિવર્તિત કર્યો છે ?
ગૌતમ : બાહ્યવેશ-ભૂષા તો લોકમાં માત્ર પ્રતીતિ કરાવવામાં કારણ છે. બંનેના મતમાં મોક્ષના અદ્ભુત સાચા સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
૧ જુઓ પ્રકરણ ૭, પૃ. ૪૨૮-૪૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org