SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૫૧ સમ્યકુચારિત્ર છે. આ વસ્ત્ર વિષયક પરિવર્તનનું કારણ પણ પૂર્વવત છે. કેશિ : તમારા ઉપર આક્રમણ કરનારા શત્રુઓને કે જેની વચ્ચે તમે રહેલા છો તેને તમે જાણો છો ? તમે તેમને કેવી રીતે જીત્યા ? ગૌતમ : હા, એ શત્રુઓને જાણું છું. તે અનેક શત્રુઓમાંથી સહુથી પહેલાં મેં અવશીકૃત આત્મારૂપી એક પ્રધાન શત્રુને વશીકૃત આત્મા દ્વારા જીત્યો. તે પછી કષાય, ઈન્દ્રિય, નોકષાય આદિ અન્ય અનેક શત્રુઓને ક્રમાનુસાર જીત્યા. કેશિ : સંસારમાં ઘણા જીવો પાશબદ્ધ છે તો તમે કેવી રીતે પાશમુક્ત થયા ? ગૌતમ સંસારમાં રાગદ્વેષરૂપી ભયંકર સ્નેહપાશ છે. તે પાશોને યથાન્યાય (જિનપ્રવચન અનુસાર-વીતરાગતાથી) જીતીને હું પાશરહિત થઈ રહું છું. કેશિ : હૃદયમાં ઉત્પન્ન થયેલ વિષ-લતાને તમે કેવી રીતે ઉખાડી ? ગૌતમ પરિણામે ભયંકર ફળવાળી તૃષ્ણારૂપી એક લતા છે. તે લતાને યથાવાય (નિર્લોભતા દ્વારા) જળમૂળથી ખેંચીને હું તેના વિષફળભક્ષણથી મુક્ત થયો છું. કેશિ ઃ શરીરમાં પ્રજવલિત અગ્નિને કેવી રીતે શાન્ત કર્યો ? ગૌતમ : કષાયરૂપી અગ્નિઓનું જિનેન્દ્રરૂપી મહામેવથી ઉત્પન્ન શ્રુતજ્ઞાનરૂપી જળધારાથી નિરંતર સિંચન કરવાથી તે મને દઝાડતા નથી. કેશિ ઃ સાહસિક, દુષ્ટ અને ભયંકર અશ્વ ઉપર બેઠેલા તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ? ગૌતમ : ધર્મશિક્ષા તથા ધૃતરૂપી લગામ દ્વારા હું મનરૂપી દુષ્ટ અશ્વને કાબુમાં રાખું છું અને તેથી ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ સ્થિર રહું છું. કેશિ : સંસારમાં અનેક ઉન્માર્ગ હોવા છતાં તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ? ગૌતમ ઉન્માર્ગ અને સન્માર્ગને સારી રીતે જાણું છું. તેથી સન્માર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. જિનેન્દ્રનો માર્ગ સન્માર્ગ છે અને બાકીના બધા ઉન્માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy