________________
પ્રકરણ ૮ : ઉપસંહાર
૪૪૩
ત્રણનો સમ્યક્ સમુચ્ચય જ અહીં રત્નત્રયરૂપે છે. આ ત્રણોની પૂર્ણતા થતાં સાધક કર્મોમાંથી પૂર્ણ છૂટકારો પ્રાપ્ત કરી સંસારમાંથી મુક્ત થાય છે. આ ત્રણોની પૂર્ણતા ક્રમશઃ થાય છે. તેમાં અંદરોદર કારણકાર્યસંબંધ પણ છે. તથ્થોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો જ તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને સાચું જ્ઞાન મળે તો જ સદાચારમાં પ્રવૃત્તિ થાય કારણ કે કર્મોનાં બંધનું કારણ અજ્ઞાન હોવાથી તેમાંથી મુક્તિનો ઉપાય પણ જ્ઞાન પ્રાપ્તિ જ હોય છતાં સદાચારની પૂતા થતાં જે મુક્તિ સ્વીકારવામાં આવેલ છે તેનું કારણ પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવું એ છે. તેથી પૂર્ણ જ્ઞાન (કેવળ જ્ઞાન) થઈ જતાં જીવને જીવન્મુક્ત માનવામાં આવેલ છે. સદાચાર ઉપર વિશેષ ભાર મૂકવાનું બીજું કારણ લોકોમાં ફેલાયેલ દુરાચારને રોકવાનું પણ હતું. સદાચારની પૂર્ણતા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (ધનાદિ-સંગ્રહની પ્રવૃત્તિનો ત્યાગ) રૂપ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવાથી થાય છે. આ પાંચ નતિક વ્રતોનું પાલન કરવા ઉપરાંત, સાધકે અન્ય કેટલાંક નૈતિક વ્રતોનું પણ પાલન કરવું પડે છે અને તે વ્રતો અહિંસાદિ મૂળ નૈતિક વ્રતોના જ પોષક છે. આ અહિંસાદિ પાંચ વ્રતોના મૂળમાં પણ અહિંસા છે અને તેની પૂર્ણતા અપરિગ્રહની ભાવના ઉપર નિર્ભર છે. સદાચારના ઉત્તરોત્તર વિકાસક્રમને આધારે ચારિત્રને સામાયિક આદિ પાંચ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. સદાચારનું પાલન કરનાર ગૃહસ્થો તેમ જ સાધુઓ હોય છે. તેથી તેમની દૃષ્ટિએ સદાચારને બે ભાગોમાં વિભક્ત કરેલ છે. ગૃહસ્થાચાર અને સાધ્વાચાર.
ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે. તેમાં ગૃહસ્થ ગાઉંસ્થજીવન પસાર કરતાં પૂળ રૂપે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું યથાસંભવ પાલન કરે છે તથા ધીમે ધીમે આત્મવિકાસ કરતાં કરતાં સાધુના આચાર પ્રત્યે અગ્રેસર થાય છે. તેથી ગૃહસ્થાચારનું પાલન કરવાનો ઉપદેશ, સાધ્વાચારનું પાલન જે નથી કરી શકતા એમને જ માટે છે. ગૃહસ્થાચાર સંબંધી અહીં એક વાત વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે કે ગ્રંથમાં ગૃહસ્થાચારનું પાલન કરનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org