SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ : ઉપસંહાર સર્વે દ્રવ્યોને રહેવાનું સ્થાન આકાશ છે અને વસ્તુમાં પ્રતિક્ષણે થનાર પરિવર્તનનું કારણ કાળ છે. આ રીતે લોકમાં આ છ દ્રવ્યોના સંયોગ અને વિયોગથી આ સૃષ્ટિનું યંત્રવત્ સંચાલન થયા કરે છે. તે માટે ઈશ્વરતત્ત્વની આવશ્યકતા નથી. ઈશ્વરતત્ત્વને ન સ્વીકારવાને કારણે ધર્માદિ દ્રવ્યોની કલ્પના કરવી પડી છે. જીવ પોતાનાં કર્તવ્યોનું સારી રીતે પાલન કરી પરમાત્મા બની શકે છે અને અકર્તવ્ય કર્મોનું પાલન કરી અધમ બની શકે છે. પરમાત્મા-અવસ્થામાં જીવ સર્વે પ્રકારના કર્મોથી પર થઈ તટસ્થ બની જાય છે. એકેન્દ્રિયના જીવોની સત્તા કણકણમાં સ્વીકારવામાં આવી છે અને તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. જીવોનું વિભાજન પાશ્યાત્મદર્શનના લીનીઝના જીવાણુબાદ અને બર્ગેસાના રચનાત્મક વિકાસ વાદ સાથે મળતું આવે છે. આ રીતે યથાર્થવાદનું ચિત્રણ કરવાને કારણે દ્રવ્યનું સ્વરૂપ પણ એકાન્તરૂપે નિત્ય કે એકાન્ત રૂપે ક્ષશિક ન માનતાં, અનિત્યથી અનુસ્મૃત નિત્ય માનવામાં આવેલ છે. દ્રવ્યમાં પ્રતિક્ષણ થનાર પરિવર્તન તથા તેમાં રહેલ એક સામંજસ્યનો સ્વીકાર કરતાં દ્રવ્યનું સ્વરૂપ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક (નિત્ય) માનવામાં આવેલ છે. ચૈતન્ય આદિ જીવના નિત્યધર્મ (ગુણ) છે અને મનુષ્ય, દેવ વગેરે તેની વિભિન્ન અવસ્થાઓ (પર્યાયો) છે. નિત્યતા દ્રવ્યોનો ગુણ (નિત્ય-ધર્મ) છે અને અનિત્યતા તેની ઉપાધિ (પર્યાય-અનિત્ય ધર્મ) છે. ગુણા અને પર્યાયો (અનિત્યધર્મ)ને દ્રવ્યથી સર્વથા પૃથક્ ન પાડી શકાય તેમ જ ગુણ અને પર્યાયોના સમૂહને જ દ્રવ્ય પણ ન કહી શકાય. તેથી ગુણ અને પર્યાય યુક્તને દ્રવ્ય કહેવામાં આવેલ છે. આ રીતે આ દ્રવ્ય (આધાર વિશેષ) ગુણ અને પર્યાયોથી સર્વથા ભિન્ન ન હોતાં કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. આમ વિશ્વની રચના અને તેમાં વર્તમાન સૃષ્ટિ-તત્ત્વોનું વર્ણન કરી, ગ્રંથમાં ચેતન અને અચેતન પુદ્ગલના પરસ્પર સંયોગની અવસ્થાને સંસાર કહેવામાં આવેલ છે. જ્યાં સુધી ચેતનની સાથે અચેતન પુદ્ગલનો સંબંધ રહે છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. જ્યાં સુધી જીવ સંસારી અવસ્થામાં રહે છે પછી Jain Education International ૪૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy