________________
પ્રકરણ ૮ : ઉપસંહાર
૪૩૯
ગ્રંથ કહી શકીએ એમ નથી કારણ કે તેમાં સાધુઓના આચાર-વિચાર વગેરેનું મુખ્યરૂપે ઉપદેશાત્મક તથા આજ્ઞાત્મક શૈલીમાં પ્રતિપાદન તથા અનેક સ્થળે વિષયનું પુનરાવર્તન જોવા મળે છે છતાં તેમાં સાહિત્યિક ગુણોનો અભાવ વર્તાતો નથી. જોકે કેટલાક અધ્યયનો શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાને કારણે નીરસ પ્રતીત થાય છે પણ અન્યત્ર ઉપમા, દૃષ્ટાંત, રૂપક વગેરે અલંકારો તથા સુભાષિતોથી મિશ્રિત કથાત્મક તથા સંવાદાત્મક સરસ શૈલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે ક્યાંક ક્યાંક સાહિત્યિક ગુણોનો ઉત્કર્ષ પણ થયો છે. આ ગ્રંથમાં અધ્યયનોને વિષય-શૈલીની દષ્ટિએ ત્રણ ભાષામાં વિભાજિત કરી શકાય છે. જેમ કે : ૧ શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોના પ્રતિપાદક અધ્યયન, ૨ નીતિ અને ઉપદેશ પ્રધાન અધ્યયન અને ૩ આખ્યાનાત્મક અધ્યયન. આ વિભાજન પ્રધાનતાની દૃષ્ટિએ જ સંભવે છે કારણ કે પ્રાયઃ સર્વત્ર સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવી છે.
કર્મથી જાતિવાદની સ્થાપના, બાહ્યશુદ્ધિ કરતાં આવ્યંતર શુદ્ધિની પ્રધાનતા, દેશ-કાળને અનુરૂપ ધાર્મિક નિયમોમાં પરિવર્તન, જ્ઞાનની પ્રાપ્તિ માટે વિનમ્રતા, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા, વ્યક્તિનું પૂર્ણ સ્વાતંત્ર્ય અને પરમાત્મા બનવાની ક્ષમતા, દેવોના કરતાં મનુષ્યોના જન્મની શ્રેષ્ઠતા, સુખ-દુ:ખની પ્રાપ્તિમાં વ્યક્તિએ પોતે કરેલા સારા-ખરાબ કર્મોની કારણતા, વશીકત આત્મા દ્વારા અવશીકૃત આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો આધ્યાત્મિક સંગ્રામ, ગુરુશિષ્યના પરસ્પરના સંબંધ, દરેક મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો, બ્રાહ્મણનું આદર્શ સ્વરૂપ, અહિંસા-સત્ય અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ: આ પાંચ નૈતિક નિયમોની સૂક્ષ્મ વ્યાખ્યા, સંસારની અનાદિતા તથા સંસારના વિષય-ભોગોની અસારતા વીતરાગતાનો ઉપદેશ, વિશ્વબંધુત્વની ભાવના, ચેતન તથા અચેતનનું વિશ્લેષણ, પુનર્જન્મ, સ્ત્રી-મુક્તિ તથા જીવન્મુક્તિમાં વિશ્વાસ, અનાદિ મુક્ત ઈશ્વરની સત્તામાં અવિશ્વાસ, જીવનનું અંતિમ લક્ષ્ય-મુક્તિ, મુક્તિનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ વગેરે પ્રસ્તુત ગ્રંથમાં વિશેષ પ્રતિપાદ્ય એવા વિષયો છે. આ વિષયોના પ્રતિપાદનમાં નમિ-પ્રવજ્યા આદિ માર્મિક અને આધ્યાત્મિક સંવાદાત્મક આખ્યાનો તથા ઉપમા આદિ અલંકારોના પ્રયોગથી જે આધ્યાત્મિક માર્ગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org