SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ઈચ્છા મુજબ ત્યાં રહી તેની સાથે આનંદ પ્રમોદ કરી તેને લઈ તે સ્વદેશ પાછો ફરતો. ૩ ક્યારેક માતાપિતા ક્યાંકથી મનપસંદ સુંદર કન્યા લાવીને પુત્રને તેની સાથે પરણાવતાં. તે સમયે નારીને સંપત્તિ માનવામાં આવતી તેથી ઉપર મુજબ બનતું ત્યારે માબાપ કન્યાને ખરીદીને કે એવા કોઈ અન્ય ઉપાયે તેને લઈ આવતા. ૪ જ્યારે વર પતિના રૂપમાં જાન લઈને કન્યાને ઘરે જતો ત્યારે તેને અનેક પ્રકારના ઘરેણાથી શાગારવામાં આવતો તથા દેશ અને કુળ વગેરેને અનુરૂપ કૌતુકમંગળ વગેરે કાર્ય પણ કરવામાં આવતાં. જાનમાં ઊંચનીચ બધા પ્રકારના માણસો જતા અને તેમને માટે ભોજનાદિનો પ્રબંધ કરવામાં આવતો. ૫ ક્યારેક દેવતાની પ્રેરણાથી રાજકન્યાઓ વરને સોંપવામાં આવતી . ૬ શ્રેષ્ઠ ગુણ કે રૂપસંપન્ન રાજકન્યાઓ રાજકુમારો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છતાં ખુબ મુશ્કેલીથી પ્રાપ્ત થતી. જો કોઈને એવી રાજકન્યા રાજા સ્વયં આપતો તો તેને ખુબ જ નસીબદાર સમજવામાં આવતો. તેથી ભદ્રા રાજકુમારી ઉગ્ન તપસ્વી હરિકેશિબલમુનિને મારનાર બ્રાહ્માને કહે છે ; ‘આ મુનિ ઉગ્ર તપસ્વી તથા બ્રહ્મચારી છે. સ્વયં મારા પિતા કૌશલ નરેશે દેવતાની પ્રેરણાથી મને એમને આપવામાં આવી તો પણ તેમણે મને સ્વીકારી નથી". આ રીતે સર્વગુણ સંપન્ન રાજકુમાર અરિષ્ટનેમીને યાચના કરવા છતાં રાજા ઉગ્રસેન ૧ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૧. ૨ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૭. 3 सव्वोसहीहिं हविओ कयकोऊयमंगलो । दिव्वजुयलपरिहिंओ आभरणेहिं विभूसिओ ।। तुज्झं विवाहकज्जंमि भोयावेउं बहुं जणं ॥ ४ देवाभिओगेण निओइएणं दिन्नासु रन्ना मणसा न झाया । ૪૧૧ ..... Jain Education International जो मे तया नेच्छई दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना ।। ૫ એજન For Private & Personal Use Only ૧૩. ૨૨. ૯-૧૭. ૩. ૧૨. ૨૧-૨૨. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy