SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ 3७८ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૧૦ અવ્યાબાધ ? સર્વ પ્રકારની બાધાઓથી રહિત હોવાથી તથા અત્યન્ત સુખરૂપ હોવાથી તેને “અવ્યાબાધ' કહેવામાં આવેલ છે. ૧૧ લોકોત્તમોત્તમ : ત્રણે લોકોમાં સર્વશ્રેષ્ઠ હોવાથી તેને લોકોત્તમોત્તમ કહેવામાં આવેલ છે. મોક્ષમાં જીવની અવસ્થા : મુક્તિની અવસ્થા જરા-મરણથી રહિત, વ્યાધિથી રહિત, શરીરથી રહિત, અત્યંત દુઃખાભાવરૂપ, નિરતિશય સુખરૂપ, શાન્ત, ક્ષેમકર, શિવરૂપ, ઘનરૂપ, વૃદ્ધિ-હાસથી રહિત, અવિનશ્વર, જ્ઞાનરૂપ, દર્શનરૂપ (સામાન્યબોધ), પુનર્જન્મરહિત તથા એકાન્ત અધિષ્ઠાનરૂપ છે. આ મુક્તાવસ્થાને પામેલ આત્મા સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે એ કારણે પરમાત્મા બને છે. આત્મા અને પરમાત્મામાં ભેદ રહેતો નથી. બંને સમાન સ્થિતિવાળા થઈ પૃથક પૃથક્ અસ્તિત્વ રાખે છે, અત-વેદાન્તની જેમ એકરૂપ થતા નથી. જ્ઞાન અને દર્શનરૂપ ચેતના કે જે જીવનું સ્વરૂપ છે તેનો અભાવ થતો નથી કારણ કે એમ થતાં, જીવપણાનો જ અભાવ થશે અને સત્ દ્રવ્યનો ૧ એજન ઉ. ર૯. ૩. २ लोगत्तमुत्तमं ठाणं । –૩. ૯, ૫૮. તથા જુઓ - ઉ. ૨૦. પર. 3 अरुविणो जीवघणा नाणदंसणसनिया । अउलं सुहंसंपत्ता उवमा जस्स नत्थि उ ।। –૩. ૩૬. ૬૬. तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिनिव्वायइ, सव्वदुक्खाणमंतं करेइ । –૩. ર૯. ૨૮. एगंत अहिड्डिओ भयवं । ૩. ૯, ૪. તથા જુઓ - ઉ. ૨૯. ૪૧, ૫૮, પૃ. ૩૭૭, પા. ટિ. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy