SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૮. પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન, ૯. વાયુ સામે બાથ ભરવી, ૧૦. ત્રાજવાથી મેરુ પર્વત તોળવો. આમ જે રીતે ઉપર જણાવેલ બાબતો દુષ્કર અને અસંભવ જેવી છે તેમ સાધ્વાચારનું પાલન કરવું પણ કઠિન છે. આ દુષ્કર સાધ્વાચારનું પાલન કરનાર સાચો સાધુ ભાઈ-બાંધવ, માતાપિતા, રાજા તથા દેવેન્દ્ર વગેરેથી પણ સ્તુત્ય બને છે'. એટલે સુધી કે તેનું પ્રત્યેક અંગ પૂજનીય બને છે. તે સહુનો નાથ બને છે. કઠિનતાથી પ્રાપ્ત થનાર મુક્તિ તેને માટે સુલભ થઇ જાય છે કારણ કે દીક્ષાનું પ્રયોજન સાંસારિક વિષયોની પ્રાપ્તિ નથી પણ મુક્તિરૂપ પરમસુખની પ્રાપ્તિ છે એ ઉપરાંત મુક્તિનો સાધક સાધુ પુણ્યક્ષેત્રવાળો કહેવાય છે અને તેને આપવામાં આવેલ દાન પણ પુણ્ય-ફળવાળું બને છે”. તપ વગેરેના પ્રભાવથી તેને અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ થઇ જાય છે. આ અલૌકિક, શક્તિઓના પ્રભાવથી તે ગુસ્સે થતાં સંપૂર્ણ લોકને ભસ્મીભૂત કરવા તથા અનુગ્રહથી ઇચ્છિત ફળ દેવા માટે સામર્થ્યવાળો બને છે'. તેના સંયમની પ્રશંસા કરતી વખતે લખવામાં આવ્યું છે કે એમનો ૧ જુઓ - પૃ. ૨૫૪. પા. ટિ. ૧, ૩. ૨૨. ૨૭, ૯-૫૫-૬૦, ૧૨-૨૧, ૨૦. ૫૫-૫૬, ૨૫-૩૭, ૩૫. ૧૮. २ अच्चेमु ते महाभाग न ते किंचि न अच्चिमो । ૩ જુઓ - પૃ. ૧૯૬. પા. ટિ. ૨-૩. ४ आराहए पुण्णमिणं खु खित्तं । तहिवं गंधोदय पुप्फवासं दिव्वा तहिं वसुहरा य वुट्ठा । पहयाओ दुंदुहीओ सुरेहि आगासे अहो दाणं च घुटं ॥ ५ महाजसो एस महाणुभावो घोरव्वओ घोरपक्कमो य । मा एयं हीलेइ अहीलणिज्जं मा सव्वे तेएण मे निद्दहेज्जा | जइ इच्छह जीवियं वा घणं वा लोगंपि एसी कुविओ डहेज्जा । Jain Education International ૩૭૩ For Private & Personal Use Only ૧૩. ૧૨. ૩૪. —૩. ૧૨. ૧૨. ૩. ૧૨. ૩૬. ૧૩. ૧૨. ૨૩. ૩. ૧૨. ૨૮. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy