________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
૩૬૯
ભિક્ષાચર્યા એ સાધુનો સામાન્ય આચાર છે. જો તેમાં કેટલાક વિશેષ નિયમો ઊમેરી લેવામાં આવે તો તે તપની કોટિમાં આવી જાય છે. આમ, ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું, સરસ પદાર્થોનું સેવન ન કરવું તથા બધા પ્રકારના આહારનો ત્યાગ કરવો એ સાધુનું આહાર સંબંધી તપ છે. તેનાથી રસના ઇન્દ્રિય ઉપર સંયમ લાવી શકાય છે. આ તપ એટલા માટે પણ આવશ્યક છે કે તેનાથી આહારાદિ સંબંધી સૂક્ષ્મ હિંસા આદિ દોષોનો પરિહાર કરી શકાય છે. સાધુના સામાન્ય આચારની ચર્ચા વખતે તેને માટે એકાન્ત નિવાસનું વિધાન કરવામાં આવેલ છે. તેથી સાધુ જો વિશેષ રૂપે આત્મધ્યાનાદિ માટે એકાન્ત નિવાસનો આશ્રય લે તો તે પણ એક પ્રકારનું તપ (સંલીનતા) છે. પદ્માસન, ખગાસન, વગેરે આસન વિશેષમાં સ્થિર રહેવું એ સ્પષ્ટ રૂપે જ કાયકલેશરૂપ તપ છે. આમ આ છયે પ્રકારનાં તપ બાહ્ય શારીરિક-ક્રિયા સાથે સંબંધ ધરાવે છે.
દોષોની પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ, ગુરુ પ્રત્યે વિનય, સેવાભક્તિ, અધ્યયન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અંતરંગ-ક્રિયા સાથે સંબંધ ધરાવે છે તેથી આવ્યંતર તપ ગણાય છે. તેમનું આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ પણ સાથોસાથ વ્યાવહારિક મહત્ત્વ પણ છે. આ આત્યંતર તપોમાં પ્રાયશ્ચિત તપ એક પ્રકારે અપરાધી દ્વારા સ્વયં સ્વીકૃત સજા છે. તેનાથી આચારમાં લાગેલ દોષોની વિશુદ્ધિ થાય છે. સાધુ પ્રતિદિન પ્રતિક્રમણ આવશ્યક’ કરતી વખતે આ તપને કરે જ છે. ગુરુ પ્રત્યે વિનય, તેમની સેવા તથા સ્વાધ્યાય-આ જ્ઞાનપ્રાપ્તિ માટે આવશ્યક છે. ધ્યાનતપથી સાધક અશુભ-વ્યાપારો પ્રત્યે ઢળતી ચિત્તવૃત્તિને રોકીને આત્માના ચિંતનમાં પ્રયોજે છે. તેથી આ ધ્યાનતપ યોગદર્શનમાં પ્રતિપાદિત ચિત્તવૃત્તિ નિરોધ રૂપ સમાધિસ્થાન છે. કાયોત્સર્ગ તપ ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ માટે પ્રારંભિક કર્તવ્ય છે કારણ કે શરીરના મમત્વને છોડી તેને એકાગ્ર નહીં કરવામાં આવે ત્યાં સુધી ધ્યાનની પ્રાપ્તિ ન થઇ શકે. આમ આપણો જોઈ શકીએ છીએ કે સાધક આ છયે આભ્યન્તર તપોને કોઈ ને કોઈ રૂપે પ્રતિદિન અવશ્ય કરે છે. તેને સામાન્ય સદાચારથી પૃથક્ દર્શાવવાનું કારણ એ છે કે સાધક પતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org