SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૮ જલ્લ પરીષહજયઃ પરસેવો, કીચડ, ધૂળ વગેરે શરીર ઉપર જમા થતાં તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરવો એ જલ્લ પરીષહ જય છે. અર્થાત્ ધૃણિત વસ્તુઓનો સંપર્ક થતાં તેની ધૃણા ન કરવી તથા શરીરના સંસ્કાર (જ્ઞાન) આદિની અભિલાષા ન રાખવી એ જલ્લ પરીષહજય કહેવાય છે. ૧૯ સત્કાર પુરસ્કાર પરીષહજય : અભિવાદન, નમસ્કાર, નિમંત્રણ વગેરેથી કોઈ અન્ય સાધુનું સંમાન થતું જોઇને તથા પોતાનું સન્માન ન થતું હોય ત્યારે ઈર્ષાભાવ ન રાખતાં વીતરાગી રહેવું એ સત્કાર-પુરસ્કાર પરીસહજય કહેવાય છે. ૨૦ પ્રજ્ઞા પરીષહ જય : પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ જાય પછી કોઇએ પૂછેલા પ્રશ્નનો જવાબ ન દઇ શકાય તો “આ કર્મોનું ફળ છે” એવો વિચાર કરવો એ પ્રજ્ઞા પરીષહજય કહેવાય છે. ૨૧ અજ્ઞાન પરીષહજય : બધા પ્રકારના સાધુ-ધર્મનું પાલન કરવા છતાં, પણ અજ્ઞાનતા દૂર ન થાય તો હું નકામો ભોગોથી નિવૃત્ત થયો, જ્ઞાનની પ્રાપ્તિ તો ન થઈ” એવું ન વિચારવું એ અજ્ઞાન પરીષહજયે કહેવાય છે. અર્થાત્ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ ધર્મમાં દઢ રહેવું એ અજ્ઞાન પરીષહજય છે. १ जाव सरीरभेओत्ति जल्लं काएण धारए । –૩. ર. ૩૭. તથા જુઓ ઉ. ૨. ૩૬, ૧૯. ૩ર. २ अभिवायणमभूट्ठाणं सामी कुज्जा निमंतणं । जे ताइं पडिसेवंति न तेसि पीहए मुणी ॥ –૩. ૨. ૩૮. તથા જુઓ ઉ. ૨. ૩૯, ૨૧. ૨૦. 3 से नूणं मए पुव्वं कम्माडणाणफलाकडा । जेणाहं नाभिजाणामि पुट्ठो केणइ कण्हुई ॥ –૩. ર. ૪૦. તથા જુઓ ઉ. ૨. ૪૧. ४ निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाणपावगं ।। ૩. ૨. ૪૨. તથા જુઓ ઉ. ૨. ૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy