SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કષ્ટ લાગવા માંડે તો શીત નિવારક સ્થાન અને વસ્ત્રાદિ ન હોય તો પણ અગ્નિ આદિના સેવનનું ચિંતન ન કરતાં તજ્જન્ય કષ્ટને સહન કરવું એ શીત પરીષહજય છે. ૪ ઉણપરીષહજય : તેને આતપ (ધૂપ) પરીષહજય પણ કહેવામાં આવે છે. ગર્મી અથવા અગ્નિથી અત્યંત તાપ લાગે તો પણ સ્નાન કરવું, મુખે પાણી છાંટવું, પંખો વીંઝવો વગેરે પરિતાપ-નિવારક ઉપાયો દ્વારા શાંતિની અભિલાષા ન કરવી એ ઉષ્ણ પરીષહજય છે. ૫ દંશમશક પરીષહજય દંશમશક આદિ (સર્પ, વીંછી, મચ્છર) જંતુઓ ડંખે તો પણા સંગ્રામમાં આગળ રહેનાર હાથીની જેમ અડગ રહેવું અને તે રુધિરમાંસ ખાનારાઓને દ્વેષ-બુદ્ધિથી હટાવવાં પણ નહિ અને પીડિત પણ ન કરવાં એ દંશમશક-પરીષય કહેવાય છે. ૬ અચેલ પરીષહજય : વસ્ત્રરહિત અથવા અલ્પ વસ્ત્રસહિત થઈ જતાં કોઈ પ્રકારની ચિંતા ન કરવી એ અચેલ પરીષહજ કહેવાય છે. અહીં વસ્ત્રસાહિત અને વસ્ત્રરહિત એ બંને અવસ્થાઓમાં અચેલ પરીષહ દર્શાવેલ છે. એ પરથી પ્રતીત થાય છે કે સાધુ બે પ્રકારના હતા. એક એવા કે જે વસ્ત્ર १ चरंतं विरयं लूहं सीयं फुसइ एगया । अहं तु अग्गि सेवामि इह भिक्खू न चिंतए । ૩. ૨. ૬-૭. २ प्रिंसु वा परियावेणं सायं नो परिदेवए । –૩. ૨૮. તથા જુઓ - ઉ. ૧૯. ૩૨. 3 पुट्ठो य दंसमसएहि समरे व महामुणी । -૩. ૨. ૧૦. તથા જુઓ - ઉ. ૨. ૧૧, ૧૯. ૩૨. ૪ જુઓ – પૃ.૩૨, પા. ટિ. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy