SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અહોભાગ્ય સમજે છે`. આ તપ આત્મશક્તિના વિકાસ અને વિશુદ્ધિની પરીક્ષા માટે કસોટીરૂપ પણ છે. તેનાથી સ્વર્ગ અથવા સંસારમાંથી પૂર્ણ નિવૃત્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છેરે. આ રીતે આ તપોનો કર્મો ને બળપૂર્વક ઉદયમાં લાવી નિર્જીર્ણ કરવામાં તથા સંસારમાંથી મુક્તિ અપાવવામાં પ્રમુખ હાથ હોવાથી તેમનું ચારિત્રથી જુદું નિરૂપણ કરવામાં આવ્યું છે. તપની સરળતા માટે જરૂરી છે કે શરીર સુકાઈ જાય તો પણ તપશ્ચરણમાંથી વિચલિત ન થવું તથા તપના ફળની ઇચ્છા પણ ન કરવી. ૩૫૨ પરીષહ-જય સાધુને પોતાની સાધનાના માર્ગમાં અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં પડે છે કારણ કે તેનું સંપૂર્ણ જીવન તપોમય છે તથા તપની સફળતા કષ્ટો સહન કર્યા વિના સંભવતી નથી. સાંસારિક વિષયોમાં આસક્તિ હોવી એ જ આ કષ્ટોનું કારણ છે તથા સાંસારિક વિષયભોગોમાં નિરાસક્તિ એ કષ્ટો ઉપરનો વિજય છે. આ કષ્ટ મનુષ્યકૃત, તિર્યંચકૃત, કે દેવકૃત હોઈ શકે છે. આ કષ્ટોથી ન ગભરાવું એ સાધુનું કર્તવ્ય છેTM. સાધુ મુખ્ય રૂપે જે ક્ષુધાદિ કષ્ટોને સહન કરે છે તેને માટે ગ્રન્થમાં પરીષહ શબ્દનો પ્રયોગ છે. તેના જ અર્થમાં ૧૩. ૧૨. ૩૬-૩૭. २ एवं तवं तु दुविहं जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिओ || 3 कालीपव्वंगसंकासे किसे धमणिसंतए । मायने अणपाणस्स अदीणमणसो चरे ॥ ૩. ૨. ૩. ४ जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विनिहन्त्रेज्जा | તથા જુઓ ૩. ૨૧. ૧૮, ૨૦. Jain Education International -૩. ૩૦, ૩૭. For Private & Personal Use Only -૩. ૨. ૧-૩. (ઘ). www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy