SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૪૧ તેનું લક્ષણ આપતી વખતે તેને “વિવિક્તશયનાસન' શબ્દથી વ્યક્ત કરેલ છે. વાસ્તવિક રીતે, વિવિક્તશયનાસન સંલીનતાનો એક વિશેષ ભેદ છે. તેનું ફળ દર્શાવતાં, ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે વિવિક્તશયનાસનથી જીવ ચારિત્રની ગુપ્તિને રોકે છે અને પછી એષણીય આહારવાન, દઢચારિત્ર્યવાન, એકાન્તપ્રિય અને મોક્ષાભિમુખ થઈ આઠેય પ્રકારનાં કર્મબંધનોને તોડી નાંખે છે. ઉપર જણાવેલ બાહ્ય તપના ભેદોમાં પ્રથમ ચાર તપ આહાર સંબંધી છે તથા છેવટનાં બે તપ ક્રમશ: કઠોર શારીરિક આસનવિશેષ અને એકાન્તવાસ સાથે સંબંધિત છે. જો સાધુની દષ્ટિએ આ બાહ્ય તપના ક્રમિક-વિકાસ ઉપર વિચાર કરવામાં આવે તો તેનો આ પ્રકારનો ક્રમ ઉચિત લાગશે. ૧. ભિક્ષાચર્યા ૨. ઊણોદરી ૩. રસપરિત્યાગ ૪. અનશન ૫. સંલીનતા અને ૬ કાયકલેશ. પ્રત્યેક સાધુ સામાન્ય રીતે ભિક્ષાચર્યાનું પાલન કરે છે. તેથી ક્રમિક વિકાસની દૃષ્ટિએ તેનું સ્થાન પ્રથમ હોવું જોઇએ. તેના પછી ઓછું ખાવા રૂપ ઊણોદરી, પછી સરસ પદાર્થોના ત્યાગરૂપ રસ-પરિત્યાગ અને પછી સર્વ પ્રકારના આહારપાનના ત્યાગ રૂપ અનશન તપ કરવાનો અભ્યાસ સંભવે છે. કાયકલેશ તપમાં એકાન્તસેવન સમાવેશ પામે છે તથા સાધુ માટે દરરોજ એકાન્તસેવન આવશ્યક પણ છે જ્યારે કાયકલેશતપ એટલું આવશ્યક નથી. તેથી પ્રતિસંલીનતા બાદ કાયકલેશ તપનો અભ્યાસ સંભવે છે. અપેક્ષા-ભેદ થતાં આ ક્રમમાં ફેરફાર પણ કરી શકાય. “તત્ત્વાર્થ સૂત્રમાં પણ જો કે ઉપર જણાવેલ ક્રમ નથી છતાં પણ ત્યાં કાયમલેશની પહેલાં સંલીનતા (વિવિક્તશયનાસન)ને ગણાવવામાં આવેલ છે. ૧ એજન ટીકાઓ ૨ ૩. ર૬. ૩૧. 3 अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविवित्तशय्यासनकायवलेशा बाह्यं तपः । –ત. મૂ. ૬. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy