SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૧૫ આ રીતે આ છ પરિસ્થિતિઓ હોય તો જ સાધુએ આહારનું ગ્રહણ કરવું જોઈએ. આ બધાના મૂળમાં સંયમનું પાલન કરવું એ પ્રધાન કારણ છે કારણ કે સંયમનું પાલન ન કરવામાં આવે તો વૈયાવૃત્ય, ઈર્યાસમિતિ અને ધર્મ ચિંતન પણ થઈ શકે નહીં. પ્રાણ રક્ષા અને સુધા-વેદનાની શાંતિ પણ સંયમની રક્ષા માટે જ છે. એનું સ્પષ્ટીકરણ આહાર ન કરવામાં નીચે જણાવેલ કારણોથી થઈ જાય છે. કઈ પરિસ્થિતિઓમાં આહાર ન લેવો જોઈએ ? ઉપર જણાવેલ છયે કારણો હાજર હોય છતાં નીચે જણાવેલ છે કારણોમાંથી કોઈ પણ એક કારણ ઉપસ્થિત થાય તો સાધુએ આહારનો ત્યાગ કરી દેવો જોઈએ અને જયાં સુધી આહાર ન કરવાનું કારણ દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ અવસ્થામાં આહાર લેવો ન જોઈએ. ભલે પછી પ્રાણનો ત્યાગ પણ કરવો પડે. આહાર ન કરવાનાં તે છ કારણો નીચે મુજબ છે. ૧ ભયંકર રોગ થાય તો : અસાધ્ય રોગ થાય તો આહારનો ત્યાગ કરવો જોઈએ. સાધુ માટે તો રોગાદિની શાન્તિ માટે ઔષધ સેવાનો પણ નિષેધ છે. તો પછી એવી પરિસ્થિતિમાં આહાર લેવાની અનુમતિ કેમ આપી શકાય ? ૨ આકસ્મિક સંકટ (ઉપસર્ગ) આવી જાય : કોઈ આકસ્મિક વિકટ સંકટ ઉપસ્થિત થાય તો સાધુએ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી દેવો જોઈએ. ૩ બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટે જો ભોજનથી ઈન્દ્રિયો પ્રદીપ્ત થઈ કામવાસના પ્રત્યે વળે તો ભોજનનો ત્યાગ કરવો જોઈએ. અહીં બ્રહ્મચર્યની રક્ષા દ્વારા સંયમની રક્ષા અભિપ્રેત છે કારણ કે આત્મ સંયમના અભાવમાં જ બ્રહ્મચર્યમાંથી પતન સંભવે છે. १ आर्यके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेउं सरीरवोच्छेयणट्ठाए । –૩. ર૬. ૩૫. ૨ ઉ. ૧૯. ૭૬-૭૭, ૧૫. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy