SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૨ કારણસત્યનું ફળ : આનાથી જીવ સત્યરૂપ ક્રિયા કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને તે જેવું બોલે છે તેવું કરીને પ્રામાણ્વિક પુરુષ થાય છે`. ૩ યોગસત્યનું ફળ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ (ક્રિયા)નું નામ યોગ છે તેથી જે ક્રિયા રૂપે પણ સત્યનું જ પાલન કરે છે તે પોતાના યોગોને વિશુદ્ધ કરે છે. ૨૬૬ આમ, સત્ય મહાવ્રતના મૂળમાં પણ અહિંસાની ભાવના રહેલી છે. તેથી સત્ય એવા અહિતકારી વચન બોલવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસત્ય બોલનાર વ્યક્તિ એક અસત્યને છૂપાવવા માટે અન્ય અનેક અસત્યો બોલે છે અને હિંસા, ચોરી વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ દુ:ખી થાય છે. આથી વિપરીત, સત્ય બોલનાર સાધુ જેવું બોલે છે એવું જ કરે છે અને પ્રામાણિક પુરુષ બની સુખી થાય છે. વૈદિક સંસ્કૃતિમાં પણ સત્યવ્રતને હજારો અશ્વમેઘયજ્ઞ કરતાં ચડિયાતું દર્શાવવામાં આવેલ છે તથા આ સત્યવ્રતનું પાલન કરનારને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ પણ કહેવામાં આવ્યું છે ́. ગ્રંથમાં આ વ્રતથી યુક્ત જીવને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે તથા આ વ્રતનું પાલન કરવું દુષ્કર છે એમ પણ કહેવામાં આવ્યું છેપ. અચૌર્ય મહાવ્રત તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ ન કરવી એ અચોર્ય મહાવ્રત કહેવાય. મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી આ વ્રતનું करणसच्चेणं करणसत्तिं जणयइ । करणसच्चे माणे जीवे जावाई तहाकारी यावि भवइ । जोगसच्चेणं जोगं विसोहेइ । 3 मोसस्स पच्छा य पुरत्ययो य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समायणयंतो रुवे अतित्तो दुहिओ अणिस्सो || ૧ ૨ ૪ ૩. આ. ટી. પૃ. ૧૧૨૨. ૫ જુઓ પૃ. ૨૬૪. પા. ટિ. ૩. Jain Education International For Private & Personal Use Only ૩. ૨૯. ૫૧. ૩. ૨૯. ૫૨. ૩. ૩૨. ૩૧. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy