________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
ર૬૭
પાલન કરવું પણ આવશ્યક છે. આ ઉપરાંત, જે વસ્તુ ગ્રહણ કરવામાં આવે તે નિર્દોષ પણ હોવી જોઈએ. કારણ કે સદોષ વસ્તુ ગ્રહણ કરતાં હિંસાનો દોષ લાગે છે. સાધુ માટે બધી સચિત્ત વસ્તુને ગ્રહણ કરવાનો નિષેધ છે. તેથી, કોઈ સચિત્ત વસ્તુ આપે તો તેને લેવી એ પણ ચોરી છે. સ્વીકૃત વ્રતોનું પાલન ન કરવું એ પણ ચોરી છે. આ અચૌર્યવ્રતની દઢતા માટે ગ્રંથમાં સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે “ધનાદિ ગ્રહણ કરવાં એ નરકનું કારણ છે” (હિંસાદિમાં પ્રવૃત્તિ કરાવે તે કારણે) એવું સમજી સાધુએ એક તણખલું પણ ન લેવું. આહાર વગર શરીરનો નિર્વાહ થઈ શકતો નથી. તેથી પોતાની નિંદા કરતાં કરતાં પાત્રમાં દેવામાં આવેલ નિર્દોષ આહારને જ સ્વીકારવો જોઈએ. વૈદિકસંસ્કૃતિમાં આનું પાલન કરનારને બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે એમ કહેવાયું છે. ગ્રંથમાં આ વ્રતનું પાલન કરનારને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે તથા આ વ્રતનું પાલન કરવું મુશ્કેલ છે એમ દર્શાવવામાં આવેલ છે.
બ્રહ્મચર્ય મહાવ્રત મન-વચન-કાય તથા કત-કારિત-અનુમોદનાથી મનુષ્ય, નિયંચ અન દેવ
१ दंतसोहणमाइस्स अदत्तस्स विवज्जणं ।
अणवज्जेसणिज्जस्स गिण्हणा अवि दुक्करं ।।
–૩. ૧૯. ૧૮.
चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बाहुं । न गिण्हाइ अदत्तं जे ते वयं बुम माहणं ।।
–૩. રપ. રપ.
२ आयाणं णरयं दिस्स णायइज्ज तणामवि ।
दो गुंछी अप्पणो पाए दिण्णं भुंजिज्ज भोयणं ।।
૩. ૬. ૭.
૩ ઉ. વા. ટી. પૃ. ૧૧ર૩ ૪ જુઓ પૃ. ૨૧૯. પાટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org