________________
રપર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વગેરેની પ્રેરણાથી કોઈ અલભ્ય વસ્તુની પણ પ્રાપ્તિ થાય તો તેને પ્રાપ્ત કરવાની મનથી પણ કલ્પના ન કરવી જોઈએ. જો તે રાજા હોય તો તેણે એમ ન વિચારવું જોઈએ કે મારા પછી આ ગૃહ, દેશ, નગર વગેરેની રક્ષા કેમ થશે? કારણ કે વિગતમાંહવાળાને માટે કોઈ કાર્ય કરવું બાકી રહેતું નથી. દીક્ષા લેતી વખતે જો તેનાં આશ્રિત પાણી નિરાશ્રિત થઈ રોકકળ કરવા લાગે તો પણ હું આપની સાથે સારો વર્તાવ નથી કરતો” એમ વિચારી, દીક્ષાનો વિચાર માંડી વાળવો ન જોઈએ, પરંતુ, એમ વિચારવું જોઈએ કે જેમ ફળવાળું વૃક્ષ પડી જાય પછી તેના આશ્રિત જીવો નિરાશ્રિત થઈ જાય ત્યારે વૃક્ષને દોષી ગણવામાં આવતું નથી તે રીતે કોઈ વ્યક્તિ દીક્ષા લે ત્યારે તેના આશ્રિત જીવો નિરાશ્રિત થઈ રડવા માંડે તો દીક્ષા લેનાર ઉપર કોઈ દોષ આવતો નથી. આશ્રિત વ્યક્તિઓના રડવાનું કારણ એમનો પોતાનો સ્વાર્થ છે. તેથી ગ્રંથમાં નમિપ્રવ્રજ્યા અધ્યયનમાં રાજા નમિના હૃદયમાં દીક્ષા સમયે ઉત્પન્ન થનાર આ પ્રકારના અંતર્ધ્વન્દને ઈન્દ્રનમિ સંવાદ દ્વારા સમાધાનના રૂપમાં ઉપસ્થિત કરવામાં આવેલ છે.
દીક્ષા પલાયનવાદ નથી ગૃહસ્થાશ્રમની મુશ્કેલીઓથી ગભરાઈને સાધુ-ધર્મમાં દીક્ષિત થવું એ પલાયન નથી. તેથી રાજા નમિની દીક્ષા સમયે જ્યારે ઈન્દ્ર તેમને કહે છે કે ગૃહસ્થાશ્રમને છોડીને અન્ય આશ્રમ (સંન્યાસાશ્રમ)ની પ્રાર્થના કરવા કરતાં ઉત્તમ છે કે આપ ગૃહસ્થોચિત કર્તવ્યો કરો ત્યારે રાજા નમિ ઉત્તર આપે છે કે અજ્ઞાની માસમાં કેવળ એક વાર કુશાગ્ર માપનો આહાર કરે છે તે પણ આ સર્વવિરતિરૂપ સુવિખ્યાત ધર્મ (સંન્યાસાશ્રમ)ની સોળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતો
१ देवाभिओगेण निओइण्णं दिनासु रना मणसा न झाया ।
नरिंददेविंदभिवंदिएणं जेणामि वंता इसिणा स एसो ॥
–૩. ૧-૨૧.
તથા જુઓ – ઉ. ૧ર-રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org