SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ સામાન્ય સાધ્વાચાર જે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોને ગૃહસ્થ અંશતઃ (સ્થૂળરૂપે) પાળે છે તેને જ સાધુ સંપૂર્ણ રીતે (સૂક્ષ્મરૂપે) પાળે છે. સાધુના બાહ્યવેશ વગેરેમાં પરિસ્થિતિ અનુસાર નિયમો અને ઉપનિયમોના સ્વરૂપે ફેરફાર થયા કરે છે. તેનો સ્પષ્ટ સંકેત આપણને કેશિ-ગૌતમ સંવાદમાં મળે છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે કયા પ્રકારે ભગવાન પાર્શ્વનાથે પ્રબોધેલા ધર્મમાં દેશકાલાનુરૂપ પરિવર્તન કર્યું. આ પ્રકારનાં પરિવર્તન થવા છતાં પણ સાધુના મૂળ આચારમાં કંઈ ફેરફાર થયો નથી કારણ કે જે પરિવર્તન થયું તે દેશ-કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર બાહ્ય-ઉપાધિભૂત નિયમો તથા ઉપનિયમોમાં કરવામાં આવ્યું જેથી સાધુ અંતરંગ આત્મવિશુદ્ધિમાં દૃઢ રહે. તેથી ગ્રંથમાં સર્વત્ર બાહ્ય-ઉપાધિની દૃષ્ટિએ અંતરંગ આત્મ-વિશુદ્ધિને શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલ છે. સાધુના આચારને સુવ્યવસ્થિત રૂપ આપવા માટે તેને બે ભાગોમાં વિભક્ત કરી શકાય. ૧ સામાન્ય સાધ્વાચાર અને ૨ વિશેષ સાધ્વાચાર. સામાન્ય સાધ્વાચાર : સાધુ દ્વારા દરરોજ જે પ્રકારે સદાચારનું સામાન્ય રીતે પાલન ક૨વામાં આવે છે તેને સામાન્ય સાધ્વાચાર કહેવામાં આવે છે. તેમાં મુખ્ય-રૂપે નીચેના વિષયો ઉપર વિચાર કરવામાં આવશે : ૧. દીક્ષાની ઉત્થાનિકા - દીક્ષા પહેલાંની સ્થિતિ ૨. બાહ્ય ઉપકરણ (ઉપધિ) - વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય-સાધન ૩. મહાવ્રત - અહિંસાદિ પાંચ નૈતિક નિયમ ૪. પ્રવચનમાળાઓ (ગુપ્તિ તથા સમિતિ) - મહાવ્રતોની રક્ષા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સાવધાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy