________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આવેલ છે. આ ઉપરાંત શ્રુતજ્ઞાન પણ બધા જીવોમાં કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય જોવા મળે છે. તેથી તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવેલ છે કે જો કોઈને એક જ્ઞાન થાય તો તે ‘કેવળજ્ઞાન' હશે. અન્યથા સંસારી જીવોને ઓછામાં ઓછાં બે જ્ઞાન (મતિ અને શ્રુતજ્ઞાન) અવશ્ય થાય છે`. આ શ્રુતજ્ઞાન શાસ્ત્રજન્યજ્ઞાન કે આગમજ્ઞાન છે, સમસ્ત શ્રવણેન્દ્રિયજન્યજ્ઞાન નથી કારણ કે શ્રવણેન્દ્રિયજન્ય સામાન્યજ્ઞાન તો મતિજ્ઞાનનો એક ભેદ છે. એ ખરું કે શ્રુતજ્ઞાનમાં સામાન્ય રીતે શ્રવણેન્દ્રિયની અપેક્ષા રહે છે. પરંતુ, સમસ્ત શ્રવણેન્દ્રિયજ્ઞાન શ્રુતજ્ઞાન નથી. અહીં એટલી વિશેષતા છે કે શબ્દ અને શ્રવણેન્દ્રિયનો પ્રથમ સ્પર્શ થતાં જે જ્ઞાન થય છે તે શ્રવણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે તથા તેના પછી મનની સહાયથી જે અર્થાદિનો વિચાર થાય છે તે શ્રુતજ્ઞાન છે. તેથી શ્રુતજ્ઞાનને જૈનદર્શનમાં અનિન્દ્રિય (મન) નિમિત્તક માનીને તેન મતિજ્ઞાન પહેલાં સ્વીકારવામાં આવેલ છે. આ શ્રુતજ્ઞાન માત્ર અક્ષરાત્મક જ હોય છે એમ નથી. આ શ્રુતજ્ઞાન અનક્ષરાત્મક પણ હોય છે. તેથી એવી સ્થિતિમાં જ આ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયદિ જીવોમાં સ્વીકારવામાં આવેલ છે. જ્યાં સુધી સમ્યક્-શ્રુતજ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો તે સંજ્ઞા (મનસહિત) પંચેન્દ્રિય જીવોમાં જ સંભવે છે અને તે પણ કોઈ કોઈને થાય છે, બધાને નહીં.
૨૪૪
ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનનું મહત્ત્વ દર્શાવવાનું કારણ એ છે કે આ શાસ્ત્ર સદ્દષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રમુખ બાહ્ય નિમિત્ત કારણ છે. જે રીતે શાસ્ત્ર સષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કારણ છે તે રીતે શાસ્ત્રજ્ઞાની ગુરુ પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કારણ છે કારણ કે ગુરુનો ઉપદેશ જ શાસ્ત્રજ્ઞાન કે સષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં સહાયક બને છે. તેથી ગ્રંથમાં ગુરુના મહત્ત્વને પણ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિષ્યે ગુરુ પાસે જવું પડે છે અને ગુરુ પણ વિનીત થવા યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરીને તેને સમસ્તજ્ઞાન આપે છે. જે શિષ્ય ગુરુ સાથે અવિનય કરે છે તે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી તેથી જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્ય જે ગુણોથી સંપન્ન થવું પડે તેમાંના કેટલાક
૧ જુઓ
-
પૃ. ૨૧૪ પા. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org