SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન માટે ઈન્દ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહેવામાં આવી રહેલ છે અને પછીના ત્રણ જ્ઞાનો પરમાર્થ (મુખ્ય) પ્રત્યક્ષ. એટલું વિશેષ છે કે સ્મૃતિ વગેરે બધા આભિનિબોધિક જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવતા નથી પરંતુ, ઈન્દ્રિય મનોનિમિત્તક વર્તમાન-વિષયક જ્ઞાન (મતિજ્ઞાન)ને જ સાંવ્યવહારિકપ્રત્યક્ષ માનવામાં આવે છે અને બાકીનાં અતીતાદિવિષયક સ્મૃતિ વગેરે બધાં જ્ઞાનોને પરોક્ષ જ માનવામાં આવે છે. ૩. અવધિજ્ઞાન: અવધિનો અર્થ થાય સીમા. તેથી ઈન્દ્રિયાદિની સહાયતા વગર કેટલીક સીમા સુધી જે રૂપી-પદાર્થ વિષયક અંત:સાક્યરૂપ જ્ઞાન થાય છે તેને “અવધિજ્ઞાન” કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં અરૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થતો નથી. આ દિવ્યજ્ઞાનની પ્રથમ અવસ્થા છે. ૪. મનઃ પર્યવજ્ઞાન : બીજાના મનોગત વિચારોને જાણવાની શક્તિને કારણે તેને “મન:પર્યવજ્ઞાન” કહેવામાં આવે છે. આ દિવ્યજ્ઞાનની બીજી અવસ્થા १ तत्प्रत्यक्षं द्विविधम्-सांव्यवहारिकं पारमार्थिकं चेति । तत्र देशतो विशदं सांव्यवहारिक प्रत्यक्षम् ॥ –ચાયવીરપ, પૃ. ૩૧. विशद: प्रत्यक्षम् । प्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशद्यम् । तत् सर्वथावरणविलिये चेतनस्य स्वरूपाविर्भावो मुख्यं केवलम् । ...तत्तारतम्येऽवधिमन:पर्यायौ च । ...... દ્રિયમનનિમિત્તો દેહાવાયારત્મા સાંવ્યવહારિમા પ્રમાણમીમાંસા ૧. ૧. ૧૩. ર૦. २ अविशदः परोक्षम् । स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमास्तद्विषयः । –પ્રમાણમીમાંસા ૧. ૨. ૧-૨. ૩ રૂપિષ્યવ: | –ત. સૂ. ૧. ૨૭. भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् । क्षयोपशमनिमित्त: षड्विकल्प: शेषाणाम् । –ત. સૂ. ૧. ૨૧-રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy