SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રય ૨૦૫ ગણાવવામાં નથી આવ્યા પણ સમ્યગ્દર્શનની ધારક સમ્યગ્દષ્ટિના પ્રથમ “સરાગ' અને “વીતરાગ” એવા બે પ્રકારો પાડીને સરાગ-સમ્યગ્દષ્ટિના આ ભેદો ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ દસ ભેદોનું વ્યાખ્યાન કરતી વખતે સ્થાનાંગસુત્રને વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ તથા પ્રજ્ઞાપના-સૂત્રના રચનાકાર શ્રી આર્યશ્યામ ઉત્તરાધ્યયનની ગાથાઓને જેમને તેમ ઉદ્ધત કરે છે. ગુણભદ્રરચિત આત્માનુશાસન'માં પણ સમ્યકત્વના આ દસ ભેદનો ઉલ્લેખ મળે છે. પરંતુ ત્યાં તેની સાથે “રુચિ' શબ્દ જોડવામાં આવેલ નથી તથા તેનાં નામ અને ક્રમમાં પણ અંતર છે. “આત્માનુશાસન'ના હિન્દી ટીકાકાર પં. વંશીધરે આ ભેદોનો આધાર માત્ર ઉત્પત્તિની નિમિત્તકારણતાને ગોલ નથી પણા સ્વરૂપની હીનાધિકતાને પણ કારા તરીકે દર્શાવેલ છે. પણ યાકોબીએ ગ્રંથોક્ત સર્વ ભેદોને ઉત્પત્તિપૂલક જ માન્યા છે'. નિમિત્તકારણની વિવિધતાને કારણે જો કે સમ્યગ્દર્શનના અનેક ભેદો પાડી શકાય તથાપિ ઉત્પત્તિ પ્રત્યે નિમિત્ત કારણની અપેક્ષા અને અનપેક્ષાની દૃષ્ટિએ સંક્ષેપમાં તેને બે ભાગોમાં વહેંચી શકાય: જેમકે સમ્યકત્વની વ્યાખ્યાથી પણ १ दसविघे सरागसम्मइंसणे पत्रत्ते, तं जहानिसग्गुवतेसरुई आणरुती सुत्त बीजरुतिमेव । अभिगम वित्थाररुती किरिया सखेव धम्मरुती ।। –નફિસૂત્ર ૧૦. ૭૫૧ (પૃ. ૪૭૬). से कि तं सरागदंसणारिया ? सरागदंसणारिया दसविहा पन्नता । तं जहा-निसग्गुव. । –પ્રજ્ઞાપના, પદ્ ૧, સૂત્ર ૭૪, પૃ. ૧૭૮. ૨ એજન 3 आज्ञामार्गसमुद्रभवभुपदेशात् सूत्रवीजंसक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवपरमावादिगाढे च ।। –માત્માનુરાસન, રોક ૧૧. જુઓ – એ જ શ્લોક ૧ર-૧૪. ૪ માત્માનુરીયન, પૃ. ૧૮. ૫ સે. ૩. , પૃ. ૧૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy