________________
પ્રકરણ ૨ : સંસાર
૧૫૯
ખ. ચારિત્ર મોહનીય-આ કર્મના ઉદયને લીધે સદાચારમાં પ્રવૃત્તિ થતી નથી. સદાચારમાં મૂઢતા ઉત્પન્ન કરનાર ચારિત્રમોહનીયના જે બે પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાં નામ આ પ્રમાણે છેઃ ૧ કષાય (ક્રોધાદિ મનોવિકાર) અને ૨. નોકષાય (ઇષતું મનોવિકાર). કષાયમોહનીય કર્મના પ્રભાવથી આત્માના શાન્ત-નિર્વિકાર સ્વરૂપમાં મલિનતા ઉત્પન્ન થાય છે. કષાયના ક્રોધ, અભિમાન, માયા અને લોભ એવા ચાર મુખ્ય ભેદ છે. તેમાંથી ક્રોધ અને અભિમાન ઠેષરૂપ છે તથા માયા અને લોભ રાગરૂપ છે. ક્રોધાદિ ચાર કષાયોમાં સચ્ચારિત્રને મલિન કરવાની શક્તિની તીવ્રતા અને મંદતાના આધારે પ્રત્યેકના ચાર-ચાર ભેદ પાડતાં કષાયમોનીયના સોળ ભેદ થાય છે. આ ઉપરાંત, નોકષાયમોહનીય પણ સહેજ માનસિક વિકારૂપ હોવાને કારણે કષાયરૂપ જ છે. તેની અંગત કેટલીક વિશેષતા હોવાને કારણે તેને પૃથક્ ગણાવવામાં આવેલ છે. નોકષાયમોહનીયના સાત કે નવ પ્રકારોનો ગ્રંથમાં ઉલ્લેખ જોવા
૧ કષાયમોહનીયના સોળ પ્રકારો નીચે મુજબ છે : ક. ચાર અનંતાનુબંધી - ક્રોધ, માન, માયા, લોભ (દીર્ધકાળ સુધી ચાલે તેવો
તીવ્ર ક્રોધ વગેરે કરવા). ખ. ચાર અપ્રત્યાખ્યાનાવરણી - ક્રોધ, માન, માયા, લોભ (અનંતાનુબંધી કરતાં
થોડા ઓછા સમય સુધી ક્રોધાદિ કરવાં) ગ. ચાર પ્રત્યાખ્યાનાવરણી - ક્રોધ, માન, માયા, લોભ (અપ્રત્યાખ્યાનાવરણી
કરતાં થોડા ઓછા સમય સુધી ક્રોધાદિ કરવાં) ઘ. ચાર સંજ્વલન - ક્રોધ, માન, માયા, લોભ (અત્યંત સ્વલ્પકાળ સુધી ક્રોધ
વગેરે કરવા). વિશેષ - કષાયમોહનીયના આ સોળ ભેદોના ચાર પ્રમુખ વિભાગોમાં ચારિત્રને મલિન કરનારી શક્તિ ક્રમશઃ ક્ષીણ થતી ગઈ છે.
–ઉ. ૩. ૧૧ (ટીકાઓ) २. कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि ।। हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ।
–ડત, મ. ટી., પૃ. ૧૫૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org