SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ : સંસાર ૧૪૯ કર્મોને લક્ષમાં લેવામાં આવ્યા છે કે જે જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી તેની સાથે સંબંધ પામે છે અને જીવને સંસારમાં પરિભ્રમણા કરાવે છે. આ રીતે આપણી પ્રત્યેક માનસિક, વાચિક અને કાયિક ક્રિયા (જેને જૈનદર્શનમાં યોગ' શબ્દ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે) થી કર્મપરમાણુઓ જીવ પ્રત્યે આકૃષ્ટ થાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ હોય તો કર્મપરમાણુ આત્મા સાથે ચોંટી જાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ ન હોય તો કર્મપરમાણુ આત્માની પાસે આવીને પણ અલગ થઈ જાય છે. આમ જીવની પ્રત્યેક ક્રિયાથી સંચલિત થયા બાદ કર્મપરમાણુઓની નીચે મુજબ ત્રણ અવસ્થાઓ થાય છે : ૧ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી આત્મા સાથે બંધાય છે અને તેને સંસારમાં પરિભ્રમણ કરાવે છે તેને “સક્રિય-બદ્ધ-કર્મ” કહી શકાય. ૨ જે કર્મ-પરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત માત્ર મન-વચનકાયાના પ્રવૃત્તિરૂપ નિમિત્તથી આત્માની પાસે આવીને તેની સાથે બંધાતા નથી અને પોતાનો કોઈ પ્રભાવ પણ પાડતાં નથી તેને “નિષ્ક્રિય-અબદ્ધ-કર્મ” કહી શકાય. ૩ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત મન-વચન-કાયાની સત્યપ્રવૃત્તિ (સદાચાર)ના નિમિત્તે આત્માની પાસે આવી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય १ अट्ठ कम्माई वोच्छामि आणुपुव् िजहाकर्म । जेहिं बद्धो अयं जीवो संसारे परिवठ्ठई ॥ –૩, ૩૩. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy