________________
૧૪૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
તૃષ્ણા અને લોભ – એ બન્ને ખરેખર તો રાગાત્મક મોહની જ વિભિન્ન અવસ્થાઓ છે. તણાને ભયંકર ફળ આપનાર લતા તરીકે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, મોહ અને તૃણા વચ્ચે બીજાંકુરનો સંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે – જેમ કે બગલીની ઉત્પત્તિ ઈંડામાંથી અને ઈંડાની ઉત્પત્તિ બગલીમાંથી થાય છે તેમ મોહની ઉત્પત્તિ તૃષ્ણામાંથી અને તૃણાની ઉત્પત્તિ મોહમાંથી થાય છે. આ રીતે જો કે મોહ અને તૃષ્ણા વચ્ચે બીજાંકુર જેવો સંબંધ દર્શાવવામાં આવેલ છે પરંતુ, આગળ ઉપર ગ્રંથમાં જ લખવામાં આવ્યું છે કે – “જેને મોહ નથી તેના દુઃખનો અંત આવી ગયો છે. જેણે તૃષ્ણા ત્યાગી તેણે મોહનો પણ નાશ કરી દીધો છે. જેની પાસે કંઈ સંપત્તિ નથી (અકિંચન) તેણે લોભનો પણ નાશ કરી દીધો છે. અહીં મોહનું કારણ તૃષ્ણાને ગણવામાં આવી છે અને તૃષ્ણાના કારણ તરીકે લોભને દર્શાવવામાં આવેલ છે. આ લોભનો નાશ થતાં તૃષ્ણાદિની પરંપરા તૂટી જાય છે. આ લોભનો વિનાશ અકિંચનભાવ અર્થાતુ...અહીં અકિંચન ભાવ લોભનું કારણ નથી પણ, લોભત્યાગથી અકિંચનભાવની પ્રાપ્તિ થાય છે. આ અકિંચનભાવની પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનથી લોભાદિમાં પ્રવૃત્તિ થાય છે. આમ અજ્ઞાન જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. અજ્ઞાન દૂર થતાં જ મોહાદિની શૃંખલા તૂટી જાય છે અને તે વખતે જીવ જન્મ-મરણના ચકરાવામાંથી મુક્તિ મેળવી જીવન મુક્ત બને છે. આ રીતે દુ:ખોના કારમભૂત સંસારની જે કારણ
१ भवतण्हा लया वुत्ता भीमा भीमफलोदया ।
–૩. ૨૩. ૪૮.
२ जहा य अंडप्पभवा बलागा अंडं बलागुप्पभवं जहा य । __ एमेव मोहाययणं खु तण्हा मोहं च तण्हाययणं वयंति ।।
–૨. ૩ર. ૬.
૩ તથા જુઓ - મૃ. ૧૪પ પા. ટિ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org