________________
૧૧ર ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૭ ઉદધિકુમાર, ૮ દિકકુમાર, ૯ વાયુકુમાર અને ૧૦ સ્વનિતકુમાર'. તેમનો નિવાસ અપોલોકની પ્રથમ પૃથ્વીનો મધ્યભાગ માનવામાં આવેલ છે.
વ્યન્તર દેવ-તેમને “વાણાવ્યન્તર' તથા “વનચારી' દેવ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દેવ ત્રણે લોકમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરતાં કરતાં, પર્વત, વૃક્ષ, વન વગેરેના ગુફા બખોલ જેવાં સ્થળોમાં રહે છે. તેમની મુખ્ય આઠ જાતિઓ દર્શાવવામાં આવી છે-૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંપુરુષ, ૭. મહોર, અન ૮. ગન્ધર્વ. જેમના ઉપર આ દેવો પ્રસન્ન થાય છે તેમની રક્ષા, સેવા વગેરે પણ કરે છે?
જ્યોતિષી દેવ-જ્યોતિ રૂપ હોવાને કારણે તેમને જ્યોતિષી દેવ કહેવામાં આવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારાઓના ભેદથી તેમના મુખ્યત્વે પાંચ પ્રકાર દર્શાવાયા છે. આ દેવોમાંથી કેટલાક સ્થિર છે અને કેટલાક ગતિમાન. મનુષ્ય-ક્ષેત્રના જ્યોતિષી દેવ ગતિમાન છે. તેમના ગમનથી જ ઘડિયાળ, ઘંટ વગેરે રૂપે સમયનું જ્ઞાન થાય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા જ્યોતિષી દેવ સ્થિર હોય છે. તેથી કાલદ્રવ્યને મનુષ્ય-ક્ષેત્રપ્રમાણ કહેવામાં આવેલ છે. સૂર્ય ચંદ્ર વગેરે રૂપે જે આ દેવોના પ્રકારો ગણાવવામાં આવ્યા છે તે તેમના નિવાસસ્થાનની અપેક્ષાએ પાડેલ છે.
१ असुरा नागसु वण्णा विज्जू अग्गी य आहिया ।
दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ।
–૩. રૂદ્. ૨૦૧.
२ पिसायभूया जक्खा य रक्खसा किन्नराकिंपुरिसा ।
महोरगा य गंधव्वा अट्ठविहा वाणमंतरा ।।
–૩. ૩૬. ૨૦૬.
તથા જુઓ – પૃ. ૧૧૧, પા. ટિ. ૩. ૩ એજન ४ जक्खा हु वेयावडियं करेन्ति ।
૩. ૨૨. ૩૨.
५ चंदासूरा य नक्खत्ता गहा तारागणा तहा । ठियावि चारिणो चेव पंचहा जोइसालया ।।
–૩. ૩૬. ૨૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org