SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો વ્યવહા૨ી શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૨૨૩૬ ચૈત્ર સુવિ o શ્રી સૂરિ...ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે૪. આ સ્તંભ કોઈ સૂરિના સં૰ ૧૨૩૬ / ઈ. સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની ‘નિષેદિકા’ રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉ૫૨ અંબાજીની ટૂંક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ સ ૧૧૮૬-૧૨૪૦)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. (૨) વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સં ૧૨૭૬ વર્ષે ામુળ સુદ્દિ ....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.) (૩) તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર ‘૧’) પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા : ૫૫ [पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ. राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा - [પં. ૨] નિ દ્વારાપિતાનિ || વૃત્ત છીય શ્રીપ્રદ્યુમ્નસૂરિ-શિષ્ય: શ્રીમાનવેવસૂરિપદ્प्रतिष्ठित श्री जयानंदसूरिभिः प्रतिष्ठतानि । छ । शुभं भवतु પુષિમૂત્તિ. સ્ત્રીમૂત્તિ. મě धांधलमूर्त्तिः ठ. कान्हडसूता महं. धांधलभार्या महं. सिरीमूर्त्तिः । Jain Education International ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મ ં૰ ધાંધલ (જેઓ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. (૪) રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy