SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલકુલ (ઉદયન મંત્રી) ચાહડ પદ્ધસિંહ = પૃથિવીદેવી (માહણસિંહ) મહંતો સામંતસિંહ (સં.૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪). મહામાત્ય સલક્ષણસિંહ (સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) | (સ્વ) મુનિ જિનવિજયજીએ તથા સ્વ. રામલાલ મોદીએ૩૫ (અને કંઈક અંશે મોહનલાલ દલિચંદ દેશાઈએ*) ઉદયન મંત્રીના વંશ વિશે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિશે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે એ ત્રણે વિદ્વાનો જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસકળકરે પણ, મૌન સેવ્યું છે ; તેથી અહીં તેમને વિશે કંઈક કહેવા ધાર્યું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મંદિરની ભમતીના નંદીશ્વરપટ્ટના સં. ૧૨૮૨ | ઈસ. ૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવલી આપેલી છે. જયાનંદસૂરિના ગુરુના ગુરુ પ્રદ્યુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ અપૂજય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલો. પ્રદ્યુમ્નસૂરિ સુવિદ્યુત બૃહદ્ગચ્છીય વાદીદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મંત્રીના પ્રપૌત્રોને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરંપરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હોય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનંદસૂરિએ ગિરનાર પરની સામંતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી હોય. ગિરનારના આ પરિવારના ઉપરકથિત ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનંદસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હોય. સાહિત્યિક તેમ જ અભિલેખીય પ્રમાણોના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહચ્છીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલી નીચે મુજબ બને છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy