SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દેલવાડાની લૂણવસતીની એક દેવકુલિકાની જિનમૂર્તિનો સં. ૧૩૭૯ | ઈ. સ. ૧૩૨૩નો લેખઃ (જુઓ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (દ્વિતીય ભાગ), ભાવનગર ૧૯૨૧, પૃ. ૧૦૯, લેખાંક ૧૧૯). ૩. મુનિ જયંતવિજય, અર્બુદાચલ૦, પૃ. ૧૫૮, લેખાંક ૪૫૨. ૪. “જીવંતસ્વામીની મૂર્તિઓ અહંતુ વર્ધમાનની કુમાર અવસ્થા સૂચવતી, મુકુટાદિ આભૂષણો સમેત બનતી. એવી સૌથી પ્રાચીન, છઠ્ઠા-સાતમા સૈકાની મૂર્તિઓ અંકોટક(આકોટા)થી મળી આવેલ જૈન ધાતુ પ્રતિમા સંગ્રહમાં છે. રાજસ્થાનમાં સિરોહીના અજિતનાથ મંદિરમાં તથા જોધપુરના સંગ્રહાલયમાં કેટલીક દશમા૧૧મા શતકની મૂર્તિઓ મળી આવી છે, જે સૌ પર (સ્વ) ડા. ઉમાકાંત શાહે ઘણા ઉપયુક્ત લેખો લખ્યા છે. આ સિવાય ઉકેશ(ઓસિયા)ના તોરણ-સ્તંભોની જંઘામાં, આઘાટ(આહાડ)ના પ્રાચીન જિનાલયના ગૂઢમંડપ પર, શમીપાટી (સવાડી) આદિના ૧૧મી સદીના ભવ્ય મંદિરની જંઘા આદિમાં પ્રસ્તુત ભાવની પ્રતિમા કંડારિત થયેલી છે. ૫. પરંતુ નાણા, દિયાણા, નાદિયામાં આજે તો જીવંતસ્વામીની પ્રતિમા ઉપસ્થિત નથી. સંભવ છે કે સિરોહીના અજિતનાથ મંદિરમાં પ્રતિષ્ઠિત બે જીવંતસ્વામીની છે તે ઉપર્યુક્ત સ્થાનોમાંથી પછીના કાળે લાવવામાં આવી હોય. ૬. નાંદિયાના ગૂઢમંડપમાં ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુમાં ગોખલા જેવું કરી, તેમાં આરસની બે એક જૂની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, પણ તે ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની છે. ૭. સામાન્ય રીતે પ્રાચીન બૌદ્ધ તથા જૈન મૂર્તિઓમાં બુદ્ધ વા જિનના સિંહાસનના પીઠ પૃષ્ઠની આજુબાજુ ગજ, વ્યાલ, અને મકરનાં રૂપો ઉપરાઉપરી કરવાની પ્રથા હતી. અહીં ગજ તથા મકર માટે સમાસ ન હોવાથી પ્રસ્તુતનાં રૂપો કર્યા નથી. ૮. બુદ્ધની મૂર્તિમાં એ પ્રતીકોની સાર્થકતા એટલા માટે છે કે ચક્ર સાથેની મૃગ-જોડીથી બનારસ પાસે સારનાથમાં બુદ્ધના “મૃગદાવ' વનમાં થયેલા “ધર્મચક્રપ્રવર્તન' કિંવા પ્રથમોપદેશ ત્યાં સૂચિત થાય છે. જયારે જિનના જીવન સાથે આવો સંકેત કરતી કોઈ જ ઘટના જોડાયેલી નથી. સમવાયાંગસૂત્ર(સંકલન પ્રાયઃ ઈસ્વી ૩૫૩)માં જિનના ૩૪ અતિશયોમાં ધર્મચક્ર એક “વાસ્તવિક” વસ્તુરૂપે અને આકાશગત માનવામાં આવ્યું છે. મધ્યયુગમાં મૃગ અને મૃગલીને “સત્યમૃગ” અને “કરુણામૃગી' જેવું અર્થઘટન જિનપરિકરને વર્ણવતા મધ્યકાલીન સાહિત્યમાં વાંચ્યાનું સ્મરણ છે, પણ તે સૌ મોડેની કલ્પના માત્ર છે. આ આખોયે હૈતવ (motif) બૌદ્ધ પ્રતિમાવિધાનમાંથી લેવાયેલો હોવાનું સુસ્પષ્ટ છે. ૯, “ચામર' પ્રતીક શ્વેતાંબર પરંપરામાં ૩૪ અતિશયોમાં, અને પાંચમા શતકથી અષ્ટ મહાપ્રાતિહાર્યોમાં પણ ગણાયું છે, જ્યારે દિગંબર પરંપરામાં છઠ્ઠા સૈકાથી ઉપલબ્ધ ૩૪ અતિશયોમાં તેને ન સમાવતાં કેવળ પ્રાતિહાર્યોમાં જ સમાવિષ્ટ કર્યું છે. ૧૦. એક દાક્ષિણાત્ય શિલ્પશાસ્ત્રમાં ક્યાંક પ્રભામંડલના ત્રણ પ્રકારો વાંચ્યાનું સ્મરણ છે : “આદિત્યપ્રભા,' “ચંદ્રપ્રભા,’ અને ‘પદ્મપ્રભા.’ વ્યવહારમાં પ્રાર્મધ્યકાળમાં તેમ જ મધ્યકાળમાં “રત્નપ્રભા” પણ જોવા મળે છે. (આનાં દષ્ટાંતો ડાહલ દેશની ચેદિ શૈલીમાં, જબલપુર આદિની દશમા શતકની જિનમૂર્તિઓમાં જોયાનું સ્મરણ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy