SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરસપ્પાનાં જિનમંદિરો પાર્શ્વનાથ વસતીની ૧૭મા શતકના યાત્રી વિશ્વભૂષણે ગેરસુપા વામાસુત બ્રાનં । તં વર્ણન સંપ્રાપિત રાĒ ILII કહી નોંધ લીધી છે'. સોળમા શતકમાં ગુજરાતના ભટ્ટારક જ્ઞાનસાગરે ગેરસપ્પા નગરનું થોડા વિસ્તારથી અને મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું વિવરણ દીધું છે. જ્ઞાનસાગર ત્યાં ગયા ત્યારે આ શ્રાવકો અને મુનિવરોથી શોભતી નગરીમાં ભૈરવીદેવી નામની રાણીનું શાસન હતું. એના વિશે થોડી ચારણી કવિતના પ્રભાવવાળી ગુણગાથા કહી, ત્યાં જિન પાર્શ્વનાથનો ત્રણ ભૂમિયુક્ત પ્રાસાદ થયાનો એમણે ઉલ્લેખ કર્યો છે : યથા : નયર વિચિત્રા પવિત્રા ગિરસોપા ગુણવંત । શ્રાવક ધરમ કરંત મુનિવર તિહાં અતિસંતહ || ભૈરવિદેવિ નામ રાણી રાજ્ય કરંતહ | i શીલવંત વ્રતવંત દયાવંત અઘહંતહ || પાર્શ્વદેવ જિનરાજકો ત્રણ્ય ભૂમિપ્રાસાદ-કિય । બ્રહ્મજ્ઞાન ગુરુ પય નમી માનવ ભવ ફૂલ તેન લિય ॥૪૨॥ ‘પાર્શ્વ તીર્થેશ્વર”ના મંદિરને દાન અપાયાનો ઉલ્લેખ અહીંથી મળેલ શ સં ૧૩૪૩ ઈ. સ. ૧૪૨૧ના એક શિલાલેખમાં છે. ગોકર્ણના મહાબલેશ્વર મંદિરને લગતા ૧૫મા શતકના ત્યાંના લેખમાં દાનરક્ષામાં ગેરસોપ્લેની હિરિય-વસતિના ‘ચણ્ડોગ્ર પાર્શ્વનાથ’ની સાખ દીધી છે, જે અહીં રજૂ કરેલ પાર્શ્વનાથ (ચિત્ર ૨) હોવા જોઈએ. પ્રસ્તુત જિનનું ગેરસપ્પામાં પ્રમાણમાં પ્રાચીન અને એ પંથકમાં સિદ્ધ-મહિમા મંદિર હશે તેમ ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી જણાય છે. શ. સં. ૧૪૮૫ / ઈ. સ. ૧૫૬૩ના એક લેખમાં રાણી ચન્ન ભૈરોદેવીના શાસનનો ઉલ્લેખ છે, જે જ્ઞાનસાગરની પૂર્વકથિત નોંધનું સમર્થન કરી જાય છે. પ્રસ્તુત લેખમાં વિશેષમાં શાંતિનાથની વસતી બન્યાનો અને તેને દાન અપાયાનો પણ ઉલ્લેખ છે. Jain Education International ચતુર્મુખ જિનાલય સંબંધી તો કોઈ સીધો ઉલ્લેખ ઉપલબ્ધ શિલાલેખોમાં નથી પણ જ્ઞાનસાગર તેનું ખૂબ ઉલ્લાસથી વર્ણન કરે છે. તેને ચા૨ ભૂમિવાળો અને બસો થંભવાળો પ્રાસાદ હોવાનું પણ કહ્યું છે॰ : યથા : ૨૬૩ જિનવર ચોમુખ ચૈત્ય નયર ગિરસોપા ચંગહ | ભૂમિ ચાર ઉતંગ ખંભ શત દોઉ અભંગહ || પ્રતિમા દેખત સદ્ય પાપ વિ દૂર પલાયો પૂજત પરમાનંદ સ્વર્ગ મુગતિ સુખ થાયો ॥ અભિનવ જિનવર ચૈત્યગૃહ દેખત સુખસંપતિ મલે । બ્રહ્મ જ્ઞાનસાગર વદતિ ચિંતા દુખ દૂરે ટલે ૫૪૪ના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy