SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કલ્યાણત્રય”, “કલ્યાણકત્રય”, વા “કલ્યાણત્રિતય' સંજ્ઞક નેમિનાથનો અશ્મરચિત ઉત્તેગ પ્રાસાદ કરાવેલો, જેમાં રૈવતતીર્થના અધિનાયક નેમિજિનની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય' એ જિન નેમિનાથનાં ત્રણ કલ્યાણકોને મૂર્વ ભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણની “ત્રણ' સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપો બેસાડ્યાં હશે. (આ ત્રણ રૂપોથી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ “કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરુદ્ધાર બાદ, ૧૫મા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું. તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી “શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી, તેમાં આવતો ઉલ્લેખ સંક્ષિપ્ત છે; તે, “કલ્યાણત્રય” રચના નેમિજિનનાં ‘દીક્ષા’, ‘જ્ઞાન', અને “નિર્વાણ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિણ દિખ્ખાણ નિવાણ [૧દી આ પછી ૧૬મા શતકના પ્રારંભની એક અનામી કર્તાની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ “કલ્યાણત્રયમાં ત્રણ રૂપે નેમિ' બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણતુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિરૂપે નેમિ પૂજઈ સફલ હૂઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી અન્ય અજ્ઞાત કરૂંક ગિરનારચૈત્યપરિપાટીમાં “કલ્યાણત્રય'નો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ‘ત્રણરૂપે બિરાજતા હોવાનું, તેમ જ મંદિરને “સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણત્રય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિદુરૂપે છઈ નેમિકુમાર મેઘનાદમંડપ સધર. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy