SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ગિરનારના ઉપર ચર્ચલ વસ્તુપાલવિહારના શિલાલેખોમાં આ બન્ને બંધુઓની વાસ્તુવિષયક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી આપવામાં આવેલી હોવા છતાં એ લેખો પ્રભાસમાં હાથ ધરાયેલ કામો વિશે કશું કહેતાં જણાતાં નથી; આથી એટલું સ્પષ્ટ થાય છે કે આ તમામ ગ્રંથો અને પ્રશસ્તિઓ પ્રભાસમાં એમણે કરાવેલ મંદિરો પૂર્વે રચાઈ ગયેલાં હોવા જોઈએ. આ અનુસંધાને હવે છેલ્લી નોંધ બાલચંદ્રના વસંતવિલાસની લઈએ. એની રચના વસ્તુપાલના સ્વર્ગગમન (ઈશુ વર્ષ ૧૨૪૦) પછી થયેલી હોઈ એમાંથી કંઈક માહિતી મેળવવાની આશા રાખી શકાય; પણ એ ગ્રંથમાં તો વસ્તુપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓનો સામાન્ય –અતિસામાન્ય–નિર્દેશ છે તેથી એ ગ્રંથની સંદર્ભગત વિષય બાબતમાં કશી ઉપયુક્તતા રહેતી નથી. પરંતુ વસ્તુપાલના સમયથી બહુ દૂર નહિ એવા મેરૂતુંગાચાર્યનું પ્રમાણ બાજુએ રાખતાં પહેલાં વિચાર કરવો પડે એમ છે. જિનહર્ષ તો એ અષ્ટાપદ-પ્રાસાદ ચંદ્રપ્રભ-જિનાલયના અંતભાગે બંધાયો કહી એના સ્થાનનો પણ નિર્દેશ કરે છે. એટલે આ બાબતમાં પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપલબ્ધ થઈ શકે તો અષ્ટાપદ-પ્રાસાદની અને સાથે સાથે તેજપાલે કરાવેલ આદિનાથના મંદિરની સંભાવના સ્વીકારવામાં ખાસ વાંધો નથી. અહીં તવિષયક આગળ ઉપર વિશેષ વિચાર કરીશું. તેરમા શતકમાં પ્રભાસમાં ભગવાન નેમિનાથનું પણ એક સ્વતંત્ર મંદિર અસ્તિત્વમાં હતું. ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત રાખવામાં આવેલા એક ભગ્ન પબાસણના ઈશુ વર્ષ ૧૨૮૭ તુલ્યકાલીન વર્ષના મહત્ત્વના શિલાલેખના ખંડમાં એ મંદિરનો સીધો ઉલ્લેખ છે. એમાં કહ્યું છે કે મુનિસુવ્રતસ્વામીની સમલિયા-વિહાર-ચરિત્રસહિત દેવકુલિકા શ્રી સોમેશ્વરપત્તનદેવમાં શ્રી નેમિનાથચૈત્યમાં કરવામાં આવી. આ નેમિનાથ-જિનાલય ક્યારે બંધાયું હશે એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. શત્રુંજયપ્રકાશના કથન મુજબ ઈશુ વર્ષ ૧૨૬૪માં માંડવગઢ(મંડપદુર્ગ)ના પેથડસાહે મહાતીર્થયાત્રા કરી તે દરમિયાન દેવપત્તનમાં એક જિનાલય કરાવેલું. રત્નમંદિરગણિના ૧૫મા શતકનાં લખાણોમાં મંડપદુર્ગના પેથડશાહે જૈન તીર્થોમાં જે સુકૃત્યો કરાવ્યોનો ઉલ્લેખ છે તેમાં સોમેશ્વરપત્તનનો પણ ઉલ્લેખ છે૨૭. ઈશુ વર્ષ ૧૩૦૪ના અરસામાં રચાયેલા પેથડરાસુમાં પેથડસાહને સોમનાથ અને ચંદ્રપ્રભને વંદન કરતા દર્શાવ્યા તો છે જ, અને તેથી એ સંભવિત છે કે પ્રભાસપાટણમાં ઈશુ વર્ષ ૧૯૬૪ની આસપાસ કોઈ જિનાલય બંધાયું હોય અને એ કદાચ ઉપર્યુક્ત નેમિનાથનું જિનાલય હોય. ઉપર્યુક્ત વિગતોનું પુનરાવલોકન કરતાં એટલું ચોક્કસ જણાય છે કે ઉલુઘખાનના પ્રભાસ પરના આક્રમણ પૂર્વે પ્રભાસમાં નીચે દર્શાવેલ જૈન મંદિરો વિદ્યમાન હતાં : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy