SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ સુત્રો લક્ષમાં લેતાં વૈશ્ય દાડનાયક અભયદ કેવી રીતે મેરુપ્રસાદ બંધાવી શકે ? વાત એટલેથી પતતી નથી. અ. પૃમાં વિશેષમાં એમ પણ કહેલું છે કે રાજેન્દ્રો (એટલે કે મોટા મહારાજાધિરાજો, સમ્રાટો આદિ) જ મેરુપ્રાસાદ કરાવી શકે. અન્ય રાજાઓ મેરુમાનથી અર્ધા માનનો કરાવે; અને તેના અર્ધામાને અને અર્ધા અંડકવાળા (રાજપદથી વિભૂષિત ન હોય તેવા) અન્ય વર્ણના લોકો કરાવે તેવી આશા કરેલી છે. યથા : राजेन्द्रैर्यः कृतः पूर्वं महामेरुर्महोदयः । ततो हीनश्च कर्तव्यः शेषवर्णैस्तथैव च ॥१७॥ अधस्तान्मेरुतः कार्यः प्रासादोऽन्यश्च राजभिः । ततो हीनोऽन्यवर्णैश्च ह्यण्डकैर्हस्तकैस्तथा ॥१८॥ - પરબતપૃચ્છા ૨૮રૂ. ૨૭-૨૮ (પૃ. ૪૭૩) આ સૂત્રોના પ્રકાશમાં તો સ્પષ્ટ જ છે કે તારંગાનો પ્રાયઃ ૪૦૩ અંડકનો અને ૮૦ જેટલાં તિલકો ધરાવતો મોટા માનનો મેરુપ્રાસાદ સમ્રાટ કુમારપાળનો જ કરાવેલો હોય, દંડનાયક અભયદે નહીં. ૨૭, મહેતા | શેઠ પૃ. ૧૭૮-૧૩૯ : જુઓ ત્યાં “અભયદેવ' વાળી કંડિકા નીચે. ૨૮. પુરાતન પ્રવન્ય સંરુ, સિધી જૈન ગ્રંથમાળા ગ્રંથાંક ૨, સં. જિનવિજય મુનિ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૩૩. ૨૯. પ્રવોશ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૬, સંજિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૯૭. ૩૦. જુઓ કુ. પ્ર., પૃ. ૨૧૯, ૨૨૦. ૩૧. મહેતા | શેઠ સામે આ વિષયમાં આમ કથન કરવા માટે કોઈ અન્ય ગ્રંથ આધારરૂપે રહ્યો હશે? ૩૨. સંપાદક ઠાકર દ્વારા જે વિધાનો થયેલાં છે તે આ પ્રમાણે છે : એમના લઘુપ્રબંધસંગ્રહમાં “સહસ્ત્રલિંગકટાક પ્રબંધ'માં પહેલી વાત તો એ છે કે રાજા જયસિંહદેવ સિદ્ધરાજની પરામર્શમંડલીમાં (કે સભામાં ઉપસ્થિત) બેઠેલ આઠ વ્યક્તિઓમાં શાંતુ મંત્રી પછી ક્રમમાં બીજે “આભડવસાહ હતો, દંડનાયક અભયદ નહીં. અને ઠાકરે અન્યત્રે “વસાહ એટલે વ્યાપારી” એવો અર્થ કરેલો છે. (જુઓ એમનું મંજુલ વિમર્ષ, સયાજી સાહિત્યમાળા, વડોદરા ૧૯૯૧, પૃ. ૩૬૯ : અને મહેતા | શેઠે જેનો એમની પાદટીપમાં હવાલો આપ્યો તે પૃ. ૭૧૮ કે ૭૨૩ પર તો આ વિષયમાં ખાસ કોઈ સૂચન જ નથી; અને લઘુપ્રબંધસંગ્રહમાં પણ આવું કંઈ જ કહ્યું નથી. સંપાદકનું તો ત્યાં આ પ્રકારે વિધાન મળે છે : "ABHADA VASAHA was a generous merchant to whom are devoted separate prabandhas in such prominent works as PC, PK, and PPS. He seems, however, to have come into prominence during Kumārapāla's reign." (LPS, Baroda 1970, p. 101) અને ત્યાં સંપાદકે હવાલો આપેલા ત્રણે પ્રબંધગ્રંથો પાટણના આભડ વસાહ સંબંધમાં છે, દંડનાયક અભયદના વિષયમાં નહીં. કુમારપાળના સમયમાં, અને તેના અનુગામી અજયપાળના સમયમાં પણ, આભડ પાટણના અગ્રગણ્ય શ્રેષ્ઠીરૂપે જ પ્રબંધોમાં દેખા દે છે. કુમારપાળ પછી ગાદી કોને આપવી તેની મંત્રણામાં તેણે અજયપાળનો પક્ષ લીધેલો, જે કારણે તેના અજયપાળ સાથેના સંબંધો સારા રહ્યા હોવાનું જણાય છે. કુમારપાળ (અને તેના માનીતા મંત્રીઓ, જેઓ અજયપાળની વિરુદ્ધમાં રહેલા હોઈ તેમના દ્વારા રચાયેલ કેટલાક પ્રાસાદો અજયપાળ તોડી પડાવેલ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy