SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૮૧ તેમાંથી કુમારપાલ વિનિર્મિત તારંગાના અજિતનાથ પ્રાસાદને આભડે યુક્તિપૂર્વક ઉગારી લીધેલો તેવી અનુશ્રુતિ પ્ર. fઉં. અને તે પછીના અન્ય કેટલાક પ્રબંધોમાં પણ નોંધાયેલી છે. નેમિનાગપુત્ર આભડ વસાહ અને યશોદેવપુત્ર દંડનાયક અભયદ જુદી જ વ્યક્તિઓ હોવાનું આમ ચારે ય છે. પ્રબંધોનાં આ અસંદિગ્ધ સાક્યો જોતાં વિદ્રપુંગવ મહેતા અને સહયોગી વિદ્વાન કનુભાઈ શેઠે એ બન્નેને શા માટે એક કરી દીધા છે તે સમજવામાં આવી શકે તેમ નથી. ૩૩. મહેતા | શેઠ પૃ ૧૪૧. જુઓ ત્યાં “તારણ માટે અજિતનાથ'વાળી કંડિકા. + આ વાક્યનો અર્થ શું કરવો ! ૩૪. એજન. ૩૫. એજન. ૩૬. જુઓ “હેમચંદ્રસૂરિચરિત,”vમાવત, સિઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, સં. જિનવિજય મુનિ, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૨૦૭. ૩૭. જુઓ મહેતા | શેઠ “જસદેવ' નીચે, પૃ ૧૩૯. લેખકોએ તો ત્યાં મહામાત્ય શોધવલના પુત્ર યશોદેવને દંડનાયક અભયદનો ભાઈ પણ બનાવી દીધો છે ! ૩૮. તારંગાચૈત્યની રચના મિતિ માટે જુઓ “વીરવંશાવલી,” કંડિકા ૭૬, વિવિધ છીય પકૃવની સંગ્રહ (પ્રથમ ભાગ], સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫૩, પૃ. ૧૯૯, આ રચના જોકે પ્રાય: સં. ૧૮૦૬ } ઈ. સ. ૧૭૫૦ જેટલા મોડા સમયની છે, પણ કર્તા સમક્ષ કેટલાંક જૂનાં ચોક્કસ સાધનો હતાં, જેને આધારે આજે વધારે જૂના પ્રબંધાદિમાં નહીં જોવા મળતી કેટલીક કામની ઐતિહાસિક હકીકતો પણ ત્યાં પ્રાપ્ત થાય છે : જેમકે સે. ૧૩૬૩ ઈ. સ. ૧૩૦૭માં સિદ્ધપુરમાં સિદ્ધરાજ કારિત રુદ્રમહાલયનો ભંગ થયેલો તેવી હકીકત ત્યાં નોંધાયેલી છે : (એજન, પૃ. ૨૧૦). સંદર્ભગત પ્રતિમા રાજાની જ હોઈ શકે તેવાં કેટલાંક તુલનાત્મક પ્રમાણો છે. કર્ણાટકમાં ચાલુક્યરાજ સોમેશ્વર પ્રથમના મૃત્યુ બાદ તેના સ્મરણમાં કુરુવત્તિના, પ્રાય: ઈ. સ. ૧૦૭૨-૧૦૭૫ના અરસામાં પૂર્ણ થયેલા, પ્રાસાદના મંડપમાં રાજા સોમેશ્વરની પ્રતિમા મૂકેલી છે જેમાં પણ ચામરાદિ રાજચિહનો છે. આ સિવાય હેમચંદ્ર(યા સોમપ્રભાચાર્ય ?)ના કુમારપાળની દિનચર્યામાં ચામર ઢોળતી વારાંગનાઓનો ઉલ્લેખ હોવાનું સ્મરણ છે. ખજુરાહોના એક લેખમાં પણ વારવધૂઓથી વીંટળાયેલા રાજા વિદ્યાધરનો ઉલ્લેખ વાંચ્યો હોવાની સ્મૃતિ છે. પણ આ તમામ ચોક્કસ સંદર્ભો મૂળ સાધનો જોયા બાદ જ લખી શકાય. સમયાભાવે તે ખોળી શક્યો નથી. ૩૯. વિદ્ધવર્ય મહેતા દ્વારા એમની આ આગવી પદ્ધતિ અનુસાર સમય સમય પર આવા મનનીય, પઠનીય, અને ઉપયુક્ત લેખો પ્રકટ થતા રહેલા. પરિશિષ્ટ લેખ “કંપોઝ થઈ પ્રાય: આખરી પ્રક્સ જોવાઈ ગયા બાદ ડા, મહેતાના અવસાનના દુ:ખદ સમાચાર મળ્યા. તેઓ આજે વિદ્યમાન હોત તો સાંપ્રત લેખના નિષ્કર્ષો (તેના વિનોદ એવું વ્યંગ્ય સમેત સમિત) સ્વીકાર્યા હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy