SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જીવનની વિગતો આ માન્યતાને દઢ કરે એ સ્વાભાવિક છે. તદુપરાંત અભયદેવના નામના પ્રથમ અક્ષર “અ' અને અજિતનાથના પ્રથમ અક્ષર વચ્ચે સુમેળ હોઈ જયોતિષની નજરે પણ તેમનો મેળ ખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ અજિતનાથના દેરાસરની સ્થાપના માટેની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. ૩૫ અવલોકન :- એ પંથકમાં અભયદ મંત્રી કેવળ રાજા વતી વહીવટ ચલાવનાર દંડનાયક રૂપે જ હતા, સામંત વા માંડલિક રાજા–મહામંડલેશ્વર–નહીં. એ પ્રદેશની રક્ષા માટે પોતે જૈન હોવાથી, અને પોતાના નામનો પ્રથમાક્ષર માં હોવાથી, દંડનાયક અભયદે અજિતનાથનું મંદિર બંધાવ્યું એવી પ્રમાણવિહીન કલ્પના અતિ સાહસની દ્યોતક છે. મંદિર રાજા કુમારપાળનું કરાવેલું હોઈ આવી કોઈ જ અટકળને ત્યાં અવકાશ નથી. છતાં વિદ્વાનું લેખકોની વાત માની લઈએ તો પ્રશ્ન એ ઊભો થાય કે આબૂ-પર્વત પર વિમલમંત્રીએ પણ પોતે જયાં દંડનાયક હતા તે આબૂ પંથકની “સુરક્ષા” માટે અજિતનાથનું, અથવા પોતાના અભિધાનના પ્રથમાક્ષરને ધ્યાનમાં લેતાં “જિન વિમલનાથ”નું ન કરતાં આદિનાથનું મંદિર કેમ બંધાવ્યું ? સમગ્ર તર્ક પ્રમાણાધારિત ન હોઈ પ્રભાવક ચરિતના ““હેમચંદ્રસૂરિચરિત” અંતર્ગત તારંગાના મંદિર નિર્માણ સંબંધી જે ખુલાસો આપ્યો છે તે હાલ તો વિશેષ ભરોસો કરવા યોગ્ય જણાય છે. ત્યાં કહ્યા પ્રમાણે તો ચાહમાન અર્ણોરાજ પર કરેલા વિજયની સ્મૃતિમાં કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવવા પૂર્વે સંકલ્પ કરેલો તેનું સ્મરણ થઈ આવતાં સ્વગુરુ હેમચંદ્રના સૂચનથી તારંગા પર પ્રસ્તુત જિનાલય બંધાવેલું”. ૭. એક અન્ય આડપેદાશ જેવો મુદ્દો પણ શોધપત્રકર્તા વિદ્વાનુ લેખકોએ ઉપસ્થિત કર્યો છે, જેમાં તેમણે કુમારપાળના સમયમાં મહામાત્ય યશોધવલના માળવા-ઉદયપુરના સં. ૧૨૧૮ | ઈ. સ. ૧૧૬રના અભિલેખનો આધાર લઈ દંડનાયક અભયદેવના પિતા “જસોદેવ” અને પ્રસ્તુત “યશોધવલ”ને એક ગણી કાઢ્યા છે; પણ તે સમીકરણ માટે કોઈ જ સાહિત્યિક યા અભિલેખીય પ્રમાણ ઉપસ્થિત કર્યું નથી. ઇતિહાસ સહી ન શકે તેવી કલ્પનાઓ કરવાથી શું લાભ? આ સિવાય પણ પ્રસ્તુત લેખમાં કોઈ કોઈ નાના નાના ચર્ચાસ્પદ મુદ્દાઓ છે, જે ગૌણ હોઈ અહીં સમીક્ષામાં છોડી દીધા છે. તારંગાના મંદિરના ગૂઢમંડપના કોઈ ગોખલા-ખત્તક-માં (કે પછી ગર્ભગૃહમાં પડખાની ભીંત સમાણી?) મુકાઈ હશે તેવી એક આરસી પ્રતિમા (ચિત્ર ૬) હવે અહીં આખરી પ્રમાણરૂપે રજૂ કરીશું. અભિલેખ વગરની આ પ્રતિમા ઘોડેસવાર રાજપુરુષની છે પરંતુ આ પ્રતિમા દંડનાયક અભયદની ન હોતાં સ્વયં રાજા કુમારપાળની હોવાનું જણાય છે કેમકે તેમાં છત્રધર સાથે ચામરધારિણી વારાંગના પણ દર્શાવી છે. શૈલી પણ સ્પષ્ટતયા કુમારપાળના સમયની અને દેવાલયના નિર્માણની મિતિ, એટલે કે ઈસ્વીસન્ ૧૧૬૫ના અરસાની, છે ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy